________________
બીજો પ્રસંગ :- કોઇ એક વાર માતા વર્ધમાનને લઇ પાસેના બગીચામાં ફરવા ગયા. લીલા ધાસની હરિયાળી લોનમાં માતા, દાસીઓ સાથે ચાલી રહ્યા છે. વર્ધમાન દૂર ઊભા ઊભા એમને જુએ છે. મા, પાસે બોલાવે છે પણ એ આવતો નથી અને કહે છે, ‘મા, એ ધાસના જીવોને તે શા માટે કચરી નાખ્યાં ? એને કેટલી પીડા થઇ રહી છે ? જો એના ઉઝરડા મારી પીઠ પર પડ્યા છે !' માએ દોડીને વર્ધમાનને તેડી લીધો અને તેની પીઠ પર જોયુ તો ખરેખર ઉજરડાનાં નિશાન હતાં. એ જોઇને માતા ખૂબ દુઃખી થઇ. સૂક્ષ્મ જીવની હિંસા પણ બાળ મહાવીરથી સહન નથી થતી. છકાયના રક્ષક જીવનના આ બંને પ્રસંગો, તેઓની સૂક્ષ્મ અહિંસા, જીવ માત્ર પ્રત્યેની દયા તથા અનુકંપાને વ્યક્ત કરે છે અને ઉત્તમ ઉદાહરણ પ્રાપ્ત થાય છે.
શાળા શિક્ષણ :- બાળક વર્ધમાનને શાળાએ ભણવા મોકલવામાં આવે છે. શિક્ષક તેઓના જ્ઞાનને જાણી પ્રભાવિત થયા, હકીકતે તો જેનો આત્મા જ્ઞાનના તેજથી તેજોમય છે તેને ભણવાનું શું હોય ? એને ભણાવવાની કોણ હિંમત કરી શકે ?
૩૦ વર્ષની વયે વડીલ બંધુ નંદીવર્ધનની આજ્ઞા લઇ, માતા-પિતાના અવસાન પછી. દીક્ષા લે છે તેઓ જાણતા હતા કે પરિવાર સાથેના જે કંઇ ઋણાનુબંધ છે તે આ ભવે જ પૂર્ણ કરવાનાં છે. તેથી સારા-ખરાબ બધાં જ બંધનો આ ભવે ભોગવી લેવાનાં છે બાહ્યાંતર નિગ્રંથ બનીને સાધનાને પંથે ડગ માંડે છે. સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે. એ ત્યાગ પણ કેટલો નૈસર્ગિક-સાહજિક છે ! જયાં જયાં તેઓ વિચર્યા છે વિહાર કર્યો છે. ત્યાં ત્યાં ખૂબ પરિષહો-ઉપસર્ગો સહન કરે છે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ભવ્ય પુરુષાર્થ-સતત જાગૃતિ અને તપ-ધ્યાન કરે છે. મૌનભાવે બધું સહન કરે છે. તેઓ સાધનાનો માર્ગ કેટલો કઠીન છે તે દર્શાવે છે, અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાસુધી મૌન સેવે છે. જગતના સર્વ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ તેઓ જાણતા નથી ત્યાં સુધી ઉપદેશ પણ આપતા નથી !
સાધના
બધા જ પરિષહ-ઉપસર્ગો સમતાભાવે સહન કરીને તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ભગવાન મહાવીરને દેવ-માનવ કે પશુઓએ જે જે ઉપસર્ગો આપ્યા છે તે
૧૨
$
ભગવાન મહાવીર અને સંયમજીવન