________________
હર્ષવિભોર હર્ષદત્ત બોલ્યા, વિદ્યાપાળ ! તારી વિદ્યાને ગૌરવ અપાવે એવ આ ધટનાની વાત સાંભળ, ‘જેમના મુખારવિંદ પર પ્રશમ ભાવો રમી રહ્યા છે તેવ કલ્યાણ મિત્ર આ ભિક્ષુક બીજા કોઇ નહીં, પરંતુ સ્વયં ભગવાન મહાવીર છે.
‘આંતરકર્મો સામે દારુણ યુદ્ધ કરી વિજય મેળવનાર ચક્રવર્તી છે. અષ્ટકર્મ કાલીનાગને સંયમના શસ્ત્રોથી એમણે જીતી લીધા છે. નિર્વિકપ્લ ધ્યાનરૂપી પિતા ખોળામાં તેઓ ઊભા છે. તે અહિંસારૂપી અષ્ટપ્રવચન માતાની નિશ્રામાં છે. બ્રહ્મચ રૂપી ભાઇ, અનાસક્તિરૂપી બહેનને એમનું સદૈવ સાન્નિધ્ય છે. શાંતિરૂપી પ્રિયત એમના જીવનમાં અભિપ્રેત છે. વિવેકરૂપી પુત્ર અને ક્ષમારૂપી પુત્રી તેમની સાથે હોય છે. અનેકાંતે તેમનો મંત્રી છે.'
‘રાજાની સેનાને એક નિશ્ચત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથ નીકળેલા દિવ્ય કિરણો અગઇમત લોકોના કલ્યાણનું કારણ બની જાય, અકારણ કરુણા કરનારા, આ યુગપુરુષના ફચ્ચ પુણ્ય અને તીર્થંકરના અતિશયોની અસરને કારણે તેમની ઉપસ્થિતિથી ચોપાસ વૈર વિખવાદ મટે, રોગ ન હોય, દુષ્કાળ ન હોય, માલકૌંસ રાગમાં પ્રવાહીત થતી તેમની પાવન વાણી સૃષ્ટિના તમામ જીવો પોતાની ભાષામાં સમજી અને સ્વનું કલ્યાણ સાધી શકે.'
(
'એમની શુભ તરંગોની સેના જ ચારે બાજુ સુરક્ષા કરી શકે છે. એમનું ધરમચક્ર સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતુ રહે છે. તેમને સ્પર્ષેલું વાયુ મંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવીં શીતળતા પ્રસરાવે છે. સંસારના તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઇ પણ વ્યક્તિ સાથે લડાઇ નથી કરી, હિંસા નથી કરી છતાં હૃદય સિંહાસન પર રાજય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજય છે. કારણ કે આ સામ્રાજયમાં, હિંસા નથી, ચોરી નથી, અબ્રહ્મમ્ નથી. જૂઠ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે.'
હર્ષદત્તે જ્યારે વાત પૂરી કરી ત્યારે બંને મિત્રોએ ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને છાયાશાસ્ત્રી વિદ્યાપાળે કહ્યું, હવે મને સમજાયું કે સામુદ્રિક લક્ષણો માત્ર બાહ્ય ચિન્હો કે સંકેતો પર આધારિત નથી હોતા. માનવીની આંતરિક
Go
ભગવાન મહાવીર અને સંયમજીવન