Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 42
________________ ધર્મદાન સાધુઓને તથા ધર્મની આરાધના કરનાર શ્રાવકોને એમના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં સહાયક થવા, એ ગુણની વૃદ્ધિ કરાવવા માટે જે પોતાને અર્થે નિપજેલ હોય અને પોતાને માટે લાવેલ વસ્તુઓ આપવી તેને ધર્મદાન કરે છે. આ વસ્તુઓ ૧૪ છે. ઉપર દર્શાવેલ ૧૦ પ્રકારના દાનમા ‘ધર્મ દાન' નિરવધ . નિરવદ્ય એટલે પાપવિનાનું દાન. જે દાન દીધા પછી દાતાને પાપ ન લાગે તેવું અથવા દાનથી પોતાનો તથા બીજાનો સંયમ ગુણ પુષ્ટ થાય તેને ધર્મ દાન કહે છે. સાધુઓએ ૧૪ પ્રકારના દાનમાંથી કોઇ પણ દાન આપવાથી જે લાભ જીવને પ્રાપ્ત થાય છે એવો લાભ કોઇને પણ દાન દેવાથી થવાનો નથી. દાનમાં આપેલી પ્રત્યેક વસ્તુનો સાધુઓં પૂરી કાળજીથી - કોઇ જીવની વિરાધના'ન થાય તેની સતત જાગૃતિ રાખીને જ ઉપયોગ કરે છે તેથી, સાધુઓને આપેલું દાન જેટલું ફળદાયી નીવડે છે તેવું જગતમાં અન્યસ્થાને કરેલું દાન ફળદાયી નીવડતું નથી. ‘ભગવતીસૂત્ર’ માં ગૌતમસ્વામીએ, ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, ‘હે ભગવાન ! જે શ્રમણોપાસક શ્રમણને સૂઝતો આહાર વહોરાવે તેને શો લાભ થાય ?' ભગવાન મહાવીરે કહ્યું, ‘હે ગૌતમ! જે કોઇ શ્રાવક, શ્રમણને ચાર પ્રકારના આહાર વહોરાવવાનો લાભ લે છે, તે શ્રાવક તે શ્રમણની સમાધિનો ઉત્પાદક થાય છે.' - ઉત્કૃષ્ટ, સુપાત્ર, નિસ્પૃહમુનિભગવંતને ઉત્કૃષ્ટ ભાવથી દાતા દાન દે તો, દાન લેનાર તથા દાન દેનાર બંને સુગતિને પ્રાપ્ત કરે છે. ‘દશવૈકાલિક સૂત્ર' આ પ્રમાણે દર્શાવ્યું છે. ૭ ‘મુહાદાઇ મુહાજીવી દોવી ! ગચ્છતિ સુગ્ગઇ’ સુપાત્ર દાનની પ્રવૃત્તિ માનવીના વિચારમાં ખર્ચમાં સતતજાગૃત રહે અને લોકકલ્યાણ તથા લોકમાંગલ્યની દાન પ્રવૃત્તિ સતત વિકસતી રહે એ જ ભાવના. ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70