________________
નિષ્ક્રિયતાની સાથે સામાજિક ઉત્થાન અને વિશ્વના તમામ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રેરિત પ્રછન્ન સક્રિયતાના સૂક્ષ્મ દર્શન થયાં વિના રહેશે નહિ.
મહાવીરે પ્રરૂપેલો ધર્મ ખાત્મલક્ષી હોવાથી તેમણે જીવન અને ઉપદેશ દ્વારા આત્માને પામવા માટે વીત્તરાગી બનવા માટે સાધના કરવાની વાત કહી, પરંતુ અહી અટકી જવાની વાત નથી કરી નિવૃત્તિમાં પ્રવૃત્તિની અદ્દભુત વાત કરી છે. વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ, મર્યાદાહીન વ્યકિતગત ભોગ-ઉપભોગનો ત્યાગ, વ્યક્તિગત સુખ માટેની પ્રવૃત્તિપર અંકુશ પરંતુ સમષ્ટિના કલ્યાણની પ્રવૃત્તિનો નિરંકુશ વિસ્તાર એજ સાચી નિવૃત્તિ છે.
ભગવાન મહાવીરે પ્રરૂપેલા સિધ્ધાંતો કે તત્વજ્ઞાન રોજ બરોજના જીવનમાં અપનાવીએ તો માનવીના વ્યક્તિગત જીવન, સમાજગત જીવન કે રાષ્ટ્રીત્યાના માટે કલ્યાણકારી છે.
જીવમાત્રના અસ્તીત્વનો સ્વીકાર ‘જીવો અને જીવવા દો' ની સિધ્ધાંત જીવોને સલામતી અને શાંતિ બક્ષે છે. માંસાહારનો નિષેધ કરી અન્નાહાર અને શાકાહારની પ્રેરણા માનવીને તનનું આરોગ્ય અને મનની નિર્મળતા પ્રતિ લઇ જાય. છે. જે રાષ્ટ્રિય સંપત્તિનો દુર્વ્યય અટકાવે છે. પર્યાવરણ સંતુલન પોષક છે.
અપરિગ્રહના સિધ્ધાંતના સ્વીકારમાં વધારાની સંપત્તિનું વિર્સજન કરવાના ભાવ, દાન દેવાની પ્રેરણા કરે છે. જે અન્ય પ્રતિ અનુકંપા દયા અને કરુણાનું ઉદ્ભવ સ્થાન બને છે. જે સમાજવાદના આદર્શને ચરિતાર્થ કરવામાં સહાયક બને છે અપરિગ્રહનો આચરણથી સામાજીક ઈર્ષા અટકે અને અસલામતીની ભાવનામાંથી મુક્તિ મળે છે.
વ્યક્તિ, પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએતો અડધું જગત શાંત થઇ જાય. એ ઉક્તિ ભગવાનના અનેકાંતવાદ દ્વારા સમજીશું તો કેટલીય સમસ્યાઓનું નિરાકરણ થશે. અહીં કોઈ એક ધટના, વચન કે, વિચાર ને દરેક બાજુથી તપાસવાની વાત છે. અન્યના મતને સ્વીકારવાની કે ગણતરીમાં લેવાની છે. કુટુંબમાં પિતા-પુત્ર સાસુ-વહુ ધંધામાં શેઠ નોકર પ્રજા-નેતા સમાજ રાજ્ય અને રાષ્ટ્રમાં સંવાદિતા સ્થપાશે અનેકાંતમાં બૌધ્ધિક કે વૈચારિક અહિંસા અભિપ્રેત છે.
( ( પ૧ )
.
-
સન +
મ
ન
લાગે
મહાવીર અને સંયમજીવન