Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 60
________________ સાંપ્રત જીવનમાં ભગવાન મહાવીરની વાણીને લક્ષમાં રાખીને જીવન શૈલી. અપનાવીએ તો જીવનમાં સત્ત્વશીલતા અને શાંતિ પ્રસ્થારિત થાય તેમાં કોઇ શંકા નથી. ભારતીય પ્રજાના ભૌતિક અને અધ્યાત્મ વિકાસના મૂળ તપાસવા જેવા છે. સૂક્ષ્મ અને સ્થૂળ અહિંસાનો જીવનમાં સ્વીકાર એટલે કોઇને પુખ ના પહોંચાડવું, કોઇનું શોષણ પણ ન કરવું. અને જીવમાત્રના જીવનના પૂર્ણ અધિકારનો સ્વીકાર કરવો. આમાં વનસ્પતિ અને પ્રાણીઓની રક્ષા પણ સામેલા થઇ જતી હતી. ભૌતિક જીવનમાં સાધન શુદ્ધિના સ્વીકારને કારણે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ હતાં. પ્રજા અને શાસનકર્તાઓ સંતોના નિયમન હેઠળ હતા. ધર્મગુરુઓની આજ્ઞામાં હતા. એ ભારતીય પ્રજના આધ્યાત્મિક વિકાસનું મૂળ છે. લિરછવી ગણરાજયના પ્રમુખ મહારાજ ચેટક, સમ્રાટ અશોક, સંપ્રતિ ખારવેલ, શ્રેણિક, ચંદ્રગુપ્ત, સિદ્ધરાજ, કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ અને શિવાજી જેવા શાસકો ભગવાન મહાવીર, ગૌતમબુદ્ધ, હેમચંદ્રાચાર્ય કે સમર્થ સ્વામી રામદાસ જેવા મહાનિષિઓની આજ્ઞામાં રહેતા. હમણાં સમાચાર વાચંલા કે આ વર્ષે અન્ય ધર્મના તહેવારના ઓઠા હેઠળ મહાવીર જયંતી જેવા અહિંસા દિને પણ મુંબઇની મ્યુનિસિપાલટીએ ‘ધાર્મિક વધ' માટે કતલખાના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. અહિંસા પ્રેમીઓના પ્રચંડ વિરોધને કારણે આ મંજૂરી તો પાછી ખેંચાઇ ગઇ પણ શાસકો “ધર્મ” અને “વધ' શબ્દ જોડીને ધર્મનું શું અર્થધટન કરતા હશે ? હિંસાના પાયા પર ઉભેલ, જીવનધોરણ, સમાજ રચના કે શાસનનું પતના નિશ્ચિત થાય છે. ક્રૂરતાથી શરીરનું પોષણ એ ભૌતિક સમૃદ્ધિ નથી. જયાં કરુણા અને દયાનો સ્તોત્ર સુકાઇ જાય ત્યાં પરિણામે અશાંતિ સર્જાઇ છે. પ્રજાનું શારીરિક અને માનસિક સ્વાથ્ય અન્નાહાર પર આધારિત છે પરંતુ હવે તો મલ્ટીનેશનલ એગ્રીકલ્ચર કંપનીઓનો ભારતીય કૃષિ પદ્ધતિ અને ખેતપેદાશ પર ડોળો છે. તેણે ભારતીય જીવન પદ્ધતિને દુષિત કરવાનું કાર્ય ક્યારનુંય પપ) ભગવાન મહાવીર અને સંયમજીવળ )

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70