Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 57
________________ ભગવાન મહાવીરના ચિંતનમાં સામાજિક ભાવનાના ઉચ્ચતમ આદર્શના દર્શન થાય છે. અહીં વ્યક્તિને માત્ર વ્યક્તિના રૂપમાં નહિ પરંતુ સમષ્ટિના રૂપમાં જોવામાં આવી છે. સમાજના હૃધ્ય સાથે વ્યક્તિનું હૃધ્ય જોડાયેલું છે વ્યક્તિના સંકલ્પનું પ્રતિબિંબ સામાજિક સંકલ્પ સાથે સંકળાયેલું છે. વ્યક્તિને સમાજના એક અવિભાજય અંગ રૂપે સ્વીકાર્યું છે. આજ કારણે જૈનશાસનના ચતુર્વિધ રાંધમાં સાધાર્મિક ભક્તિની ભાવનાનો વિકાસ થયો છે. ભગવાન મહાવીરના જીવનના કેટલાંક પ્રસંગોએ સમાજગત આદર્શોને પ્રતિષ્ઠા આપી છે. એ સમયે જયારે યજ્ઞો દ્વારા થતાં બલિદાનોમાં હિંસા ચરમસીમાએ પહોંચી હતી ત્યારે અહિંસાનો ઝંડો ફરકાવ્યો. બ્રાહ્મણ કુળના ગૌતમ આદિ વિદ્વાનોને શિષ્ય બનાવી ગણધરપદે સ્થાયી અહિંસા પરમો ધર્મ રૂપ મંત્ર જગતને આપ્યો. એ સમયમાં શુદ્રો અસ્પૃશ્ય ગણાતી વ્યક્તિઓને યોગ્ય સ્થાન આપી, પ્રભુએ એ બતાવ્યું કે ધર્મનો અધિકાર સહૂનો સરખો છે તેમણે પોતાના સંધમા શૂદ્ર જાતિના લોકો માંથી મેતાર્યમૂનિ અને મુનિહરિકેશીને દીક્ષિત કર્યા અને નારીને દીક્ષા આપી સહુનાં સમાન અધિકાર સ્થાપિત કર્યા. પ્રભુ કોશામ્બી નગરીમાં પધાર્યા છે. આહાર (ગૌચરી) લેવા માટે અભિગ્રહ ધારણ કર્યો છે. દાસી બનેલી રાજપુત્રી પાતના વેઠીરહી હોય, પાતનાના ચિન્હ રૂપે હાથે પગે બેડી, માથું મુંડાવેલ હોય ભોંયરામાં બંધ ત્રણ દિવસની ભુખી, સૂપડામાં અડદના બાકુળા, આંખમાં આસું આદિ તેર બોલનો પ્રભુને અભિગ્રહ છે. ભગવાને કોઇ રાજરાણી કે શ્રેષ્ઠી પૂત્રીના હાથે આહાર લેવાનો અભિગ્રહ કેમ ન કર્યો ? આવી તિરસ્કૃત વ્યક્તિના હાથે આહાર લેવાના અભિગ્રહ પાછળ ભગવાનની કરુણાબુદ્ધિ હતી. - આ સમયમાં દાસત્વ પ્રથા હતી. એ પ્રથા દ્વારા નર-નારી નું શોષણ અને અમાનવીય ક્રૂર વ્યવહાર ચાલતો હતો. ભગવાન મહાવીરના અંતરમાં દાસપ્રથા પ૨ ભગવાન મહાવીર અને સંયમજીવી )

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70