Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 29
________________ સાડા બાર વર્ષની ઉગ્ર તપસ્યા કરી છે ! તેમાં ચૌવિહાર ઉપવાસ, લાગ2 બે દિવસ એમણે ક્યારેય આહાર લીધો નથી. એક દિવસમાં બે વાર પણ એમણે આહાર કર્યો નથી. એમનું સાધનામય જીવન તપની અનોખી પ્રેરણા અર્ધી રહે છે. તપનું મુખ્ય પ્રયોજન, પ્રયત્નપૂર્વક કર્મપુદ્ગલોને આત્માથી જુદા કરી વિશુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું છે. એથી જ ભગવાન મહાવીરે કહેલ છે કે તપ આત્મશોધનની પ્રક્રિયા છે. તપ જીવનને સચ્ચિદાનંદ અનુભૂતિ કરાવે છે. તપની વ્યાખ્યા : જ્ઞાનીઓએ તપ' ની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ આપી છે, જેમાંની થોડીક નીચે દર્શાવેલ છે. (૧) ઇચ્છા નિરોધ : તપ - અર્થાત્ ઇચ્છાઓનો વિરોધ કરવો તે તપા (૨) જેનાથી શરીરની સાત ધાતુઓ તપ્ત થાય છે તે તપ છે. અથવા જેનાથી અશુભ કર્મો તપ્ત થાય છે તે તપ. નવીન કર્મોના પ્રવેશનો જેના વિશે અભાવ હોય, જેની હૈયાતિમાં નવાં કર્મ ન બંધાય અને જેનાથી પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય તેને ‘તપ' કહે છે. જે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને બાળી નાખે તેનું નામ તપ છે. (૫) જે કર્મને તપાવી આત્માથી અલગ કરી દે છે તે “તપ” છે. (૬) જે સાધનાથી પાપકર્મ તપ્ત થઇ જાય છે તેને તપ' કહે છે. વાસનાઓને ક્ષીણ કરવા માટે, સંચિત કર્મોનો નાશ કરવા માટે તથા આધ્યાત્મિક બળ વધારવા માટે જે જે ઉપાયોથી શરીર, ઇન્દ્રિય, કષાય અને મનને તપાવવામાં આવે છે, તે બધા ઉપાયોને તપ' કહે છે. અથવા જે અંતર્ગત વાસનાઓને, શરીરને અને કર્મને કૃશ કરે છે તે તપ' છે. જે આત્મારૂપી સુવર્ણને તપાવી કર્મરૂપી મેલથી રહિત શુદ્ધ કુંદન જેવો બનાવી દે તપ છે. ((૨૪) ' ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70