________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
ગમે જ નહીં તેને, તેને સંસાર દુઃખદાયી લાગે. ત્યાર પછી પાછો પોતાની જાગૃતિ કરવાનો પ્રયત્ન કરે. જેમ એ સંસારની જાગૃતિ વધે તેમ ભૌતિક સુખો દુઃખ જેવાં લાગે, ભૌતિક સુખો-રાજસુખો જંજાળ જેવાં લાગે. ચક્રવર્તી રાજાઓને પોતાની તેરસો રાણીઓ હતી. ચક્રવર્તીનું રાજ હતું; તેય તેમને નિરંતર દુ:ખદાયી લાગ્યા કરતું હતું. કારણ કે સુખની ટોચ ઉપર બેઠેલો માણસ, જેને સંસારની જાગૃતિ પાર વગરની વધેલી હોય એટલે એને સંસારની જાગૃતિ જ દુ:ખરૂપ લાગે. એટલે એ સમજે કે મારે નવું જાણવાનું રહ્યું છે કે જેમાંથી મને ‘પરમેનન્ટ’ સુખ થાય. દરેક જીવમાત્ર સુખને ખોળે છે. જયાં સુધી સાચું સુખ નથી મળતું ત્યાં સુધી ભૌતિક સુખોમાં જેટલી જાગૃતિ હોય એ પ્રમાણે એને સુખ મળ્યા કરે છે. પણ આ ભૌતિક સુખ બધું કંઢવાળું સુખ છે, એટલે સુખ પછી દુ:ખ આવ્યા વગર રહે જ નહીં અને આત્મિક સુખ દ્વદ્વાતીત સુખ છે. જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં એનું નામ વંદ્વાતીત સુખ, સાચું સુખ. જેમ જેમ સ્વરૂપની જાગૃતિ વધે તેમ તેમ સાચું સુખે પ્રગટ થતું જાય છે. આ સ્વરૂપનું જ્ઞાન આપવાથી જાગૃતિ ઉત્પન્ન થાય છે, પછી સંસારની જાગૃતિ તો એના પછી વધ્યા કરે. પણ સ્વરૂપ જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. આ ‘ફોરેન'ના સાયન્ટીસ્ટો ‘જાગૃતિ, જાગૃતિ' બોલે છે પણ એ જાગૃતિ પુદ્ગલમાં છે, આધ્યાત્મિકમાં તો કશું ભાન જ નથી. ‘આમાં' તો ઊંધે છે બધું, આખું જગત ઊંધી રહ્યું છે.
ભાંગી જાય એટલે રડે પાછાં. ‘મારો બાબો મરી ગયો !” અલ્યા, આ તો રમકડું ભાંગી ગયું ! નાના છોકરાને ખબર નથી કે આ રમકડું ભાંગી ગયું ને બીજું લાવી શકાય !! સંસાર દુઃખદાયી નથી, પણ અજાગૃતિ દુ:ખદાયી છે.
પ્રશ્નકર્તા : મોક્ષ એ રમકડું ખરું કે નહીં ?
દાદાશ્રી : ના, ના, રમકડું નહોય ! રમકડું કોને કહેવાય ? જે વિનાશી હોય તેને. આ મોક્ષ તો જાય જ નહીં. જીવમાત્રને સુખ જોઇએ છે, અને તે સનાતન સુખ જોઇએ છે. અને એ સુખ જાય જ નહીં ! કોઇ કાન કાપી લે, ગજવું કાપી લે, ગમે તે કરે તોય એ સુખ જાય જ નહીં. કારણ કે રમકડાંમાં એને પ્રિયતા નથી, નિસ્બત નથી.
જાગૃતિ જ પરિણમે મોક્ષમાં !
મકડાંની રમણતા !
પુદ્ગલની જાગૃતિ એટલે વિનાશી ચીજોમાં જ રમણતા. એટલે રમકડાં જ રમાડે છે બધાં, આખું જગત રમકડાં જ રમાડે છે.
ઉઘાડી આંખે ઊંઘવા જેવો ખેલ છે. જાગૃત થઇએ ત્યારે રમકડાં ના રમાડીએ. અને અવિનાશી, સનાતન ચીજને રમાડે એનું નામ જાગૃત. બાકી, આ રમકડાં તો તૂટ્યા કરશે ને રડવાનું, તૂટયા કરશે ને પાછું રડવાનું, તૂટયા કરશે ને પાછું રડવાનું.... વિનાશી ચીજોમાં. રમકડાં કયાં સુધી રમડવાનાં ? નાનો બાબો હોય તેને રમકડાં આપીએ પછી ભાંગી જાય ત્યારે એ શું કરે ? રડેને ? તેમ આ લોકોય રમકડાં રમાડે ને રમકડું
પ્રશ્નકર્તા : મોક્ષ અને જાગૃતિ એક જ ?
દાદાશ્રી : જાગૃતિથી જ મોક્ષ છે. અજાગૃતિ એટલે શું ? તમારે કોઇની જોડે મતભેદ પડી જાય એ તમારી અજાગૃતિ છે. જેને હિતાહિતનું ભાન છે તે જાગૃત ને જેને હિતાહિતનું ભાન નથી તે અજાગૃત, એને જ ભાવનિદ્રા કહી. ઉઘાડી આંખે ઊંધે તે ભાવનિદ્રા ને બંધ આંખે ઊંધે તે દ્રવ્યનિદ્રા. કોઇ માણસને મતભેદ થયો તો તેનું કારણ શું ? તો કે' ભાવનિદ્રા.
પ્રશ્નકર્તા : ઇસકા મતલબ જાગૃતિ ઔર મોક્ષ એક હી હૈ ?
દાદાશ્રી : જાગૃતિ વો હી કેવલજ્ઞાન હૈ, વો હી મુક્તિ હૈ. દૂસરા ઇસમેં ફેર નહીં હૈ. મગર મોક્ષ કા પરિણામ જાગૃતિ નહીં હૈ, જાગૃતિ કા પરિણામ મોક્ષ હૈ. “જાગૃતિ ઇઝ ધી મધર ઓફ મોક્ષ !”
કેટલાક મને કહે છે કે, “દાદા મારે મોક્ષ નથી જોઇતો.’ આવું આડું બોલે ત્યારે એને આપણે કહીએ કે, “મોક્ષ નથી જોઇતો, પણ જાગૃતિ જોઇએ છે ને ?” ત્યારે એ કહે કે, ‘હાજાગૃતિ તો જોઈએ જ,