Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 93
________________ આપ્તવાણી-૪ ૧૩૭ ૧૩૮ આપ્તવાણી-૪ દાદાશ્રી : તો એ શબ્દ વાગ્યો તમને. જયાં સુધી શબ્દ વાગે છે ત્યાં સુધી કંઇ પણ ધર્મને પામ્યા નથી, એવું માનજો. પથરો વાગે તો તે બરાબર છે, તેની મલમપટ્ટી-દવા કરવી પડે. પણ આ શબ્દ વાગે છે, એ ધર્મનું ફળ નહોય ! ધર્મનું ફળ એનું નામ કે શબ્દ વાગે નહીં. આપણી પાસે કંઇક તો હોવું જોઇએને કે જે દેખોડે કે કેટલો તાવ ચઢયો ને કેટલો ઊતર્યો ? ધર્માધર્મ આત્મા ! અધર્મને ધક્કા મારમાર કરે તે ધર્મ, એને ધર્માધર્મ કહેવાય. હંમેશાં અધર્મ હોય ત્યાં ધર્મ હોય જ. કારણ કે અધર્મ કાઢવાને માટે જ ધર્મ છે આત્માની ત્રણ દશા છે. ૧. ધર્માધર્મ આત્મા. (મૂઢાત્મા) ૨. જ્ઞાનઘન આત્મા. (અંતરાત્મા) ૩. વિજ્ઞાનઘન આત્મા. (પરમાત્મા) મુખ્ય ભાવતા, મોક્ષમાર્ગમાં ! જ્ઞાનઘત આત્મા ! ત્રણ વસ્તુની મોક્ષ માર્ગમાં જરૂર છે : ૧. આત્મા પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા. ૨, ‘જ્ઞાની પુરુષ' પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા. ૩. ‘જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' પ્રાપ્ત હો એ ભાવના ભાવવી. ‘જ્ઞાની પુરુષ' માટેની પહેલી ભાવના ભાવવાની, એ મળે એટલે લાભ થઇ જાય, બસ આટલો આ જ મુળ રસ્તો છે, બીજો બધો વ્યવહારધર્મ છે. અને વ્યવહારધર્મમાં નિશ્ચયધર્મ હોય તો આટલાં ત્રણ વાક્યો જ છે. આટલું સમજાય તો ઉકેલ આવશે. ‘આખા બ્રહ્માંડના જીવ માત્રના ‘રીયલ’ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. “રીયલ’ સ્વરૂપ એ ભગવત્ સ્વરૂપ છે જેથી આખા જગતને ભગવત્ સ્વરૂપે દર્શન કરું છું.’ આ વાક્ય જો સમજે તોય ધર્મ પામી ગયા કહેવાય. આ બધા ધર્મો “રીલેટિવ’ ધર્મો છે. “રીલેટિવ’ ધર્મ એટલે ભૌતિક દુઃખો કાઢી ભૌતિક સુખો આપનારા છે, એ મોક્ષ આપનાર નથી. રીલેટિવ' એટલે ‘વ્યુ પોઇન્ટ’ ! એક એક વ્યુ પોઇન્ટમાં લાખો માણસો હોય છે. સિદ્ધાંત કયારે કહેવાય ? ધર્માધર્મપદમાંથી આગળ વધે અને ‘જ્ઞાની પુરુષ'ની કૃપાને પાત્ર થાય ત્યારે જ્ઞાનઘન આત્મામાં આવે. આત્મા જ્ઞાનઘન છે અને અવિનાશી છે. જ્ઞાનઘન એટલે શું કે “વોટ ઇઝ 'રીયલ’ એન્ડ વોટ ઇઝ “રીલેટિવ' ?” એટલે કે શાશ્વતી અને અશાશ્વતી વસ્તુને ઓળખતો થાય ત્યારે ‘થીયરી ઓફ રીયાલિટી'માં આવે ને મોક્ષ થાય. ત્યારે શુદ્ધાત્માનું લક્ષ બેસે, અલખ નિરંજનનું લક્ષ બેસે, ત્યારે કામ થાય. આ સંસાર “રીલેટિવ' છે અને “આપણે” “રીયલ’ છીએ. એટલે આપણે રીયલ’ના પક્ષમાં રહેવું અને “રીલેટિવ’નો નિકાલ કરવો. વળગેલા ભૂતનો નિકાલ કરવો પડશે ને ? આ તો ‘સાયન્સ’ છે. “સાયન્સ'માં કોઇને મતભેદ ના હોય. મતભેદ ધર્માધર્મમાં હોય. જેટલા ધર્મો ચાલે છે એ બધામાં મતભેદ હોય, વિકલ્પો હોય. વિકલ્પ કયાં સુધી કહેવાય ? ધર્માધર્મ આત્મા છે ત્યાં સુધી. અધર્મને ધક્કા માર માર કરે તે ધર્મ, અલ્યા, અધર્મ જોડે ના ફાવતું હોય તો રાગદ્વેષ વગર રહેને ? પણ શી રીતે રહે ? અધર્મ જોડે દ્વેષ ને ધર્મ જોડે રાગ, ધર્માધર્મ આત્મા એ મિથ્યાત્વ દશા છે. રીલેટિવ' ધર્મો ધર્માધર્મ કહેવાય. 'રીલેટિવ” ધર્મ કરે તે સારું કહેવાય, આગળ ઉપર સારું ખાવા પીવા મળે ને ગાડું ચાલે. પણ એ બધા સગડીનાં સુખો કહેવાય. સગડી કંઇ કોટે વળગાડાય ? મોક્ષે જવા માટે તો અધર્મને કે કોઇને ધક્કો મારવો ના પડે. મોક્ષે જવા માટે તો અધર્મનો અને ધર્મનો

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186