Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 150
________________ આપ્તવાણી-૪ ૨૫૧ ૨૫. આપ્તવાણી-૪ કરવી છે' તો એને આવડો મોટો પથ્થર વાગે. હિંસા બંનેની સરખી હોય, પણ ભાવફેરને કારણે કર્મફળમાં ફેરફાર થઇ જાય. પ્રશ્નકર્તા : શરીર ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત લેવાં દાદાશ્રી : હાસ્તો. ને જયાં સુધી હું આત્મા છું' એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત કરવાથી કર્મની ગાંઠો હલકી થઇ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણુંય જતું રહે, ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની, પીવાની, માન-તાન તો કોઇ દહાડો દેખાય જ નહીં, કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જયાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે. દાદાશ્રી : ના, કોઇ જનાવર કર્મ નથી બાંધતું, સિવાય કે મનુષ્ય. પ્રશ્નકર્તા મનુષ્યમાં જે કર્મો બાંધ્યાં તે તિર્યંચગતિમાં ભોગવવાનાં ? દાદાશ્રી : હા, અહીં કોઇનું અણહક્કનું લઇ લીધું હોય, અણહક્કનું ભોગવી લીધું હોય તે બધાં પાશવતાનાં કર્મો કહેવાય તે પશુયોનિમાં જઇને ભોગવવાં પડે. પ્રશ્નકર્તા : પછી પાછો મનુષ્યમાં આવે, ભોગવ્યા પછી ? દાદાશ્રી : હા, મનુષ્યમાં જ આવે. દેવગતિમાં જાય તોય ભોગવીને પાછો મનુષ્યમાં આવે. આ મનુષ્યગતિ એકલામાંથી બધે જવાનો અધિકાર. મનુષ્યગતિમાં “ચાર્જ’ અને ‘ડિસ્ચાર્જ બંને થઈ રહ્યું છે, જયારે બીજી ગતિઓ ખાલી ‘ડિસ્ચાર્જ સ્વરૂપ છે. આ મનુષ્યગતિ જ ‘ટેસ્ટ એક્ઝામિનેશન’ છે. જો નાપાસ થયા તો તિર્યંચમાં જશો, નર્કગતિમાં જશો. નિ પાસ થયા તો મનુષ્યમાં રહેશો ને બહુ સારા માર્ક મળ્યા હોય તો દેવગતિમાં જશો. અને પાંચમી ગતિ, મોક્ષ પણ મનુષ્યમાંથી થાય છે. પ્રશ્નકર્તા : તિર્યંચમાંથી તિર્યંચગતિમાં કે બીજી ગતિમાં જતાં વચમાં મનુષ્યનું સ્ટેશન કરવું પડે ? દાદાશ્રી : ના, તિર્યંચમાંથી તિર્યંચ એમ આઠ ભવથી વધારે ના થાય. પછી પાછું મનુષ્યનું સ્ટેશન આવે. પ્રશ્નકર્તા: મનુષ્યમાં જે સમજ છે તે તિર્યંચમાંય છે, તોય એ કર્મ કેમ નથી બાંધતાં ? દાદાશ્રી : તિર્યંચોની સમજ ‘લિમિટેડ’ છે, અને આ મનુષ્યો અનલિમિટેડ’ સમજવાળા છે. તિર્યંચોનું “માઇન્ડ’ પણ લિમિટેડ હોય છે. માટે તે કર્મ ના બાંધી શકે. કર્મબંધન, મનુષ્યગતિમાં જ ! પ્રશ્નકર્તા : આ જે રોજની ક્રિયાનું પ્રાયશ્ચિત ના કરીએ તો લાંબા ગાળે એનો ઢગલો થાય ને ? દાદાશ્રી : ના, ઢગલો ના થાય. કર્મ બંધાયાં એટલે એ ખપી જાય. દા.ત. પાશવતાનાં કર્મ બંધાયાં હોય તો તે પશુયોનિમાં જાય ને ત્યાં ખપાવી આવે. કર્મોનો ઢગલો થતો નથી. એક અવતારની કમાણી જાનવરના પાંચસાત અવતાર કરી પૂરી કરી આવે. પ્રશ્નકર્તા : જાનવરના ભવમાં પાછાં કર્મો લાગે ને ? દાદાશ્રી : ના, ત્યાં કર્મો ના બંધાય. મનુષ્ય એકલો જ કર્મ બાંધી શકે છે. દેવલોકોય કર્મ નથી બાંધતા. બીજા બધાને તો ખાલી છૂટવા માટેની જ ગતિ હોય છે. પ્રશ્નકર્તા ઃ આ તિર્યંચનાં જીવો છે તે હિંસક છે, તેમનામાં કષાય છે તોય એ કર્મ નથી બાંધતાં ? કર્મ, કેટલા અવતારતી સિલક ! પ્રશ્નકર્તા : આ કર્મો અત્યારે છે તે અનંત અવતારનાં છે ?

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186