Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 155
________________ આપ્તવાણી-૪ ૨૬૧ ૨૬૨ આપ્તવાણી-૪ હોય. આવો કડપ હોતો હશે ? આપણે કંઇ વાઘસિંહ છીએ ? આપણો કડપ ના હોવો જાઇએ. એક આંખમાં દાબ હોવો જોઇએ ને બીજી આંખથી રમાડવા જોઇએ. દાબ એટલા માટે કે એ ઊંધે રસ્તે, ઊંધે પાટે ના ચઢી જાય. ગાડીમાંય સાંકળ ખેંચવાનું સાધન રાખે છે ને, કશું પડી જાય એટલા માટે ? પણ સિગારેટનું પેકેટ પડી જાય ને આપણે સાંકળ ખેંચીએ એ ગુનો કહેવાય ? જગત આખું સ્થૂળકર્મને જ સમજયું છે. સૂક્ષ્મકર્મને સમજાયું જ નથી. સૂક્ષ્મને સમજયું હોત તો આ દશા ના હોત ! એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યા. તે તેના મિત્રે તેને પૂછયું, “આટલા બધા રૂપિયા આપી દીધા ? ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસોય આપું એવો નથી. આ તો આ મેયરના દબાણને લઈને આપવા પડયા.” હવે આનું ફળ ત્યાં શું મળે ? પચાસ હજારનું દાન કર્યું તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો વાહ વાહ બોલાવે, કીર્તિ ગાય અને શેઠે મહીં સૂક્ષ્મકર્મમાં શું “ચાર્જ કર્યું ? તો કે' ‘એક પૈસોય આપું તેવો નથી. તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ એક પૈસોય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ? પ્રશ્નકર્તા : દાદા, સૂક્ષ્મકર્મ અને સ્થૂળકર્મના કર્તા જુદા જુદા છે ? દાદાશ્રી : હા, બન્નેના કર્તા જુદા છે. આ જે સ્થૂળકર્મો છે તે ‘ડિસ્ચાર્જ કર્યો છે. આ ‘બેટરી’ઓ હોયને તેને “ચાર્જ કર્યા પછી ‘ડિસ્ચાર્જ થયા કરે ને ? આપણે “ડિસ્ચાર્જ ના કરવી હોય તોય તે થયા જ કરે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવું આ સ્થૂળકર્મો એ ‘ડિસ્ચાર્જ કર્મો છે, અને બીજાં મહીં નવાં ‘ચાર્જ થઇ રહ્યાં છે તે સૂક્ષ્મકર્મો છે. આ ભવમાં જે ‘ચાર્જ" થઇ રહ્યાં છે તે આવતા ભવમાં ‘ડિસ્ચાર્જ થયા કરશે. અને આ અવતારમાં ગયા અવતારની બેટરીઓ ‘ડિસ્ચાર્જ થયા કરે છે. એક મનની બેટરી, એક વાણીની બેટરી અને એક દેહની બેટરી; આ ત્રણેય બેટરીઓ અત્યારે ‘ડિસ્ચાર્જ થયા જ કરે છે. અને મહીં નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે. આ બોલું છું તે તને એમ થાય કે “જ બોલું છું’, પણ ના, આ તો 'રેકર્ડ' બોલી રહી છે ! આ તો વાણીની ‘બેટરી’ ‘ડિસ્ચાર્જ થઇ રહી છે. હું બોલતો જ નથી, અને આ બધા જગતના લોકો શું કહે કે “મેં કેવી વાત કરી, કેવું હું બોલ્યો !” એ બધા કલ્પિતભાવો છે. ‘ઇગોઇઝમ” જ કરે છે ખાલી એ ! ‘ઇગોઇઝમ' જાય તો પછી બીજું કશું રહ્યું ? આ ‘ઇગોઇઝમ એ જ અજ્ઞાનતા છે, અને એ જ ભગવાનની માયા છે. કારણ કે કરે છે બીજો ને પોતાને એવું ‘એડજસ્ટમેન્ટ’ થાય છે કે ‘હું જ કરું છું !' આ સૂક્ષ્મકર્મો જે મહીં ‘ચાર્જ થાય છે તે પછી “કોમ્યુટરમાં જાય છે. એક વ્યષ્ટિ “કોમ્યુટર’ છે ને બીજું સમષ્ટિ “કોમ્યુટર’ છે. તે વ્યષ્ટિમાં પહેલાં સૂક્ષ્મ કર્મો જાય ને ત્યાંથી પછી સમષ્ટિ ‘કોમ્યુટર’માં જાય. પછી સમષ્ટિ કામ કર્યા કરે. આ બીજાં બધાં સૂક્ષ્મકર્મો “ચાર્જ થાય છે, તેથી બહુ ચિંતા નથી. પણ ‘હું ચંદુભાઈ છું' એમ ‘રીયલી સ્પીકિંગ’ બોલવું એ જ કર્મ બંધાય છે. ‘હું કોણ છું’ એટલું જ જો સમજયો, તો ત્યારથી બધાં જ કર્મોથી છૂટયો. એટલે આ’ વિજ્ઞાન સરળ ને સીધું મૂકયું છે. નહીં તો કરોડો ઉપાય ‘એબ્સોલ્યુટ' થવાય એવું નથી. અને ‘આ’ તો તદ્દન “થીયરમ ઓફ એબ્સોલ્યુટીઝમ' છે ! ખોટાં કર્મથી છૂટકારો ! પ્રશ્નકર્તા : ખોટાં કર્મો અમે કરતાં હોઇએ છીએ, પણ એમાંથી નીકળી જવાની હિંમત નથી આવી શકતી. દાદાશ્રી : હિંમત ના આવે. ખોટા કામનો અત્યારે એટલો બધો બોજો વધી ગયો છે તે શી રીતે હિંમત આવે ? એટલે એક વખત તો નાદારી જ કાઢી નાખવાની. પછી દેવું વાળવાનું. દેવું તો આપવું જ પડે

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186