Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 186
________________ આપ્તવાણી-૪ 323 324 આપ્તવાણી-૪ જઇએ તો કશું વળે નહીં. આ વાણી એ પુદ્ગલનો ધર્મ નથી, આ ઔપચારિક વસ્તુ છે. એટલે ગયા અવતારના જે ભાવો છે, ગત ભાવો છે, તે અત્યારે મહીં ઉદયમાં આવે છે ને તે જ પ્રમાણે તરત જ ટેપ થઈ જાય છે ને શબ્દો નીકળે છે. આ બધું સ્પીડી કામ થઇ જાય છે. આ અજાયબી છે ! આ વાણી નીકળે છે તેમાં મૂળભાવ નથી, ગતભાવ છે. ગતભાવ એ ડિસ્ચાર્જ ભાવ છે ને તેના આધારે વાણી નીકળે છે. એટલે વાણી એ ‘ડિસ્ચાર્જ’નુંય ‘ડિસ્ચાર્જ’ છે. અને મન એ ‘પ્યૉર’ ‘ડિસ્ચાર્જ છે. ‘ડિસ્ચાર્જ ભાવ એટલે નિર્જીવ ભાવ. પ્રશ્નકર્તા : વાણીની મૂળ ટેપ કેવી રીતે થઇ ? દાદાશ્રી : આત્માને પરમાણુના સંયોગ ભેગા થાય છે ને ત્યાં ચાર્જ થઇ જાય છે. આત્માની હાજરીમાં ભાવાભાવના સ્પંદન થાય છે, એમાં ઇગોઇઝમ ભળે એટલે એ સ્પંદન ટેપ થઇ જાય. વાણીનું એવું છે કે એ બે વ્યુપોઇન્ટ ‘એટ એ ટાઇમ’ ના બતાવી શકે. એટલે વ્યક્ત કરવા બીજું વાક્ય બીજી વખત બોલવું પડે. ‘દર્શન'માં એટ એ ટાઇમ’ સમગ્ર રીતે જોઇ શકાય, પણ તેનું વર્ણન કરવું હોય તો કોઇ પણ માણસ ‘એટ એ ટાઇમ’ વ્યક્ત ના કરી શકે. તેથી વાણી સ્યાદ્વાદ કહેવાય છે. મંત્ર બોલવા એ સ્થળ છે. સ્થળનો ફાયદો થાય, પણ પછી સૂક્ષ્મમાં જવું જોઇએ. ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું' એમ બોલ્યા પછી ‘દાદા' દેખાવા જોઇએ, વગર ફોટે ‘દાદા’ દેખાવા જોઇએ. પછી સૂક્ષ્મતમમાં જવું જોઇએ, ને સૂક્ષ્મતમમાં તો તરત ફળ આવે એવું છે ! પ્રગટ દીવો, ત્યાં કામ થાય ! છે ને પેલું સચર છે. તેથી આ જગતને સચરાચર કહયું. જે વિનાશ થવાનું તે સચર ને જે કાયમનું છે તે અચર. તેથી તમામ શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મજ્ઞાન જાણો, પણ આત્મજ્ઞાન જણાય એવું નથી. એ તો પૂર્વનું બહુ કરતો કરતો આવ્યો હોય તો પ્રગટ થાય. અગર તો કોઇ ‘જ્ઞાની પુરુષ'ની પાસેથી પોતાને પ્રગટ થાય ! બાકી તો આત્મજ્ઞાન જણાય એવી વસ્તુ નથી. બધાં શાસ્ત્રો જાણે, પણ તેથી આત્મા ના જણાય. શાસ્ત્રોના શાસ્ત્રો મુખપાઠ હોય પણ તેમાંથી આત્માની ખબર ના પડે, અને ખબર પડે તો શબ્દથી ખબર પડે. તે કેવું હોય ? કે ‘આત્મા આવો છે, આવો છે,”એમ રહે. અલ્યા, તું એમ કહેને કે હું આવો છું, હું આવો છું !' ત્યારે એ કહે કે, “ના, એવું મારાથી કેમ કહેવાય ?" એટલે જે ‘તે' રૂપ થયો હોય તે જ બોલી શકે કે, હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિ વાળો છું.’ તમે એવું બોલો કે ના બોલો ? પ્રશ્નકર્તા : હા, બોલીએ છીએ. દાદાશ્રી : કારણ કે તમે ‘તે' રૂપ થયા છો. પ્રશ્નકર્તા : પણ દાદા, આત્માની ઓળખાણ તો જેણે ઓળખ્યો હોય તે જ કરાવી શકે ને ? બીજો કોઇ કરાવી શકે નહીં ને ? દાદાશ્રી : તેથી કહ્યું ને કે આત્મજ્ઞાનીને દેહધારી રૂપે પરમાત્મા જાણ. પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા છે કે ‘જ્ઞાની પુરુષ' દેહધારી રૂપે પરમાત્મા થયા છે, માટે ત્યાં કામ કાઢી લેજે. ‘જ્ઞાની પુરુષ’ની અંદર જ આત્મા પ્રગટ થયો છે, જે જાણવા જેવો છે. તારે આત્મા જાણવો હોય તો ‘જ્ઞાની પુરુષ' પાસે જા. બીજો કોઇ શાસ્ત્રનો કે પુસ્તકનો આત્મા ચાલે નહીં. પુસ્તકની અંદર કેન્ડલ ચિતરેલું હોય તે દેખાય ખરું કે આવું હોય કેન્ડલ, પણ તેનું અજવાળું ના આવે. તેનાથી કશું વળે નહીં. આત્મા જાણવા તો પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ'નો ભેટો થવો જોઇએ, તો જ “કામ” થાય. જય સચ્ચિદાનંદ આત્મા નહીં જાણવાથી આ બધું જગત કથળાયેલું છે. આ હાલતું ચાલતું દેખાય છે, તેમાં આત્મા વગર કશું ચાલે જ નહીં, એમ માને છે. પણ જેને એ ચેતન કહે છે એ ચેતન હોતું નથી. અમે એને ‘નિચેતનચેતન” કહીએ છીએ. એ સાચું ચેતન નથી, ડિસ્ચાર્જ ચેતન છે, ચાવી આપેલું ચેતન છે. ખરું ચેતન તો અંદર છે, જે કાયમ સ્થિર છે અને અચળ

Loading...

Page Navigation
1 ... 184 185 186