________________
૨
આપ્તવાણી-૪
(૨૪) મોક્ષમાર્ગની પ્રતીતિ !
તે શું છે ? તેની જરૂર છે ?
દાદાશ્રી : વાડા એ બધા અંશધર્મ છે, “રીલેટિવ’ ધર્મ છે. જયાં પક્ષ છે ત્યાં મોક્ષ નથી, ત્યાં “રીયલ' ધર્મ નથી. ગચ્છમાં સાચો ધર્મ નથી. કારણ કે એ એકાંતિક છે.
પ્રશ્નકર્તા : સદ્દગુરુની પિછાણ કઇ ?
દાદાશ્રી : સદ્દગુરુ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ હોય. શાસ્ત્રમાં વાંચી ના હોય, કયાંય સાંભળી ના હોય, છતાં અનુભવમાં આવે એવી જેની અપૂર્વ વાણી હોય !
પ્રશ્નકર્તા : આ જ સદ્ગુરુ છે તે કેમ કહેવાય ? દાદાશ્રી : અહીં ઠંડક વળે તો જાણવું કે આ સદ્ગુરુ છે. પ્રશ્નકર્તા : સદ્ગુરુનાં લક્ષણ શું? દાદાશ્રી : કષાય - ક્રોધ, માન, માયા, લોભ રહિત પરિણામ ! પ્રશ્નકર્તા : આ કાળમાં સદ્ગુરુ કયાં ક્યાં બિરાજે છે ? દાદાશ્રી : આ આપની સમક્ષ બિરાજે છે. પ્રશ્નકર્તા : સદ્ગુરુ પામવા શું કરવું જોઇએ ? દાદાશ્રી : પરમ વિનય.
મોક્ષપ્રાપ્તિ-માર્ગદર્શન !
પ્રશ્નકર્તા : મુમુક્ષુ આત્માને મોક્ષ મેળવવા કયા ધર્મની જરૂર પડે ? દાદાશ્રી : આત્મધર્મની જરૂર પડે. પ્રશ્નકર્તા : કયા વેશમાં મોક્ષ મળે ?
દાદાશ્રી : વેશને ને મોક્ષને કંઇ લેવા દેવા નથી. નાગો ફરતો હોય કે કપડાં પહેરેલો ફરતો હોય, તેનો કશો વાંધો નથી. ગમે તે વેશમાં મોક્ષ મળે.
પ્રશ્નકર્તા : કયા સ્થાનકમાં મોક્ષ મળે ?
દાદાશ્રી : વીતરાગ ધર્મથી મોક્ષ મળે. વીતરાગ સ્થાનકમાં મોક્ષ મળે.
પ્રશ્નકર્તા: કઈ દશામાં મોક્ષ મળે ? દાદાશ્રી : વીતરાગ દશામાં મોક્ષ મળે. પ્રશ્નકર્તા ઃ ક્યા વાડા, સંઘાડા, ફિરકામાં સાચો ધર્મ છે ? વાડા છે
પ્રશ્નકર્તા : સમ્યત્વ, બીજજ્ઞાન અથવા બોધબીજ એ ધર્મનાં મૂળ ગણાય તો તેની પ્રાપ્તિ શા થકી થાય ?
દાદાશ્રી : કપાયરહિત સદ્દગુરુથી ! પ્રશ્નકર્તા : ધર્મની ઉત્પત્તિ એટલે કે ધર્મ શાથી થાય ? દાદાશ્રી : કપાયરહિત સદ્ગુરુથી. પ્રશ્નકર્તા: કઈ ક્રિયાથી અથવા શું કરવાથી ધર્મ થાય ?