Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 145
________________ આપ્તવાણી-૪ ૨૪૧ ૨૪૨ આપ્તવાણી-૪ હોય. અમારે તદ્દન જાગૃતિ રહ્યા કરે. અને સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે તે તો અહંકારના માર્યા રહે છે. પણ આ તો શુદ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળજ્ઞાનની જાગૃતિ છે, અને ત્યાંથી જ કલ્યાણકારી છે. ઇન્દ્રિયરૂપી ઘોડાઓની નાડ અમને સોંપી દેવાની અને તમારે તો ખાલી જોયા જ કરવાનું કે કેવી રીતે ચાલે છે તે. આ ગાડી ખાડામાં નહીં પડવા દે ને કશુંય થવા દેશે નહીં. આ તો તમને લગામ પકડતાં આવડતું નથી ને ઢાળ આવે ત્યારે લગામ ઢીલી મૂકી દો છો ને ચઢાણ આવે ત્યારે લગામ ખેંચ ખેંચ કરો છો, તે ઘોડાય બિચારા હાંફી હાંફીને થાકી ગયા છે ! ને એમના મોઢાં લોહીલુહાણ થઈ ગયાં છે ! તેથી જ તો શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું મહીં બેસ ને રથ હાંકવાનો મને સોંપી દે. કૃષ્ણ લગામ ઝાલી ત્યારે કંઇક અર્જુનનું ગાડું પાંસરું ચાલ્યું ! અમે તમને અઠવાડિયામાં એક દહાડો લગામ છોડી દેવાનું કહીએ છીએ. વખતે ભૂલચૂક થઇ જાય તો દાદા, આ ફરીથી લગામ પકડી લીધી તેની માફી માંગું છું ને હવે નહીં પકડું' એવું બોલીને પાછી લગામ ફરીથી છોડી દેવી. શરૂઆતમાં ભૂલ થાય, પ્રેક્ટિસ પડતાં જરા વાર લાગે. પછી બીજી, ત્રીજી વખતે ‘કરે કટનેસ’ આવી જાય. પછી એથી આગળ વધવા માટે, એથી આગળનો પ્રોગ્રામ જોવો હોય તો ‘ચંદુભાઇ શું બોલે છે એને જો જો કરવાનું કે આ કરેકટ છે કે નહીં ?” અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે કયાં કયાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે ‘જોયા કરવાનું કે, ઓહોહો ! ચંદુભાઈ કડક બોલ્યા. પ્રશ્નકર્તા: પણ જયાં સુધી ના બોલાય ત્યાં સુધી સારું ને? દાદાશ્રી : “બોલવું, ના બોલવું” એ આપણા હાથમાં રહ્યું નથી, હવે. તમે તો મોટા જનરલ મેનેજર છો એટલે તમને સમજાવું એટલે તમે તરત સમજી જાવ. ચાર્જ-ડિસ્ચાર્જ હું સાયન્સ ! જ્ઞાતી'તો, કેવો પ્રયોગ ? અમારા “જ્ઞાની'ના પ્રોગ્રામ કેવા હોય કે હરેક ક્રિયાને ‘અમે' જોઇએ. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ? આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું કે શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં ! અને જગત તન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે તેને કેવળજ્ઞાન કહ્યું છે. જગત જુએ છે તેવું આ અજ્ઞાની પણ જુએ છે, પણ તેમનું જોયેલું કામ નહીં લાગે. કારણ કે તેમનું ‘બેઝમેન્ટ' અહંકાર છે. ‘હું ચંદુલાલ છું' એ એનું ‘બેઝમેન્ટ’ છે, અને આપણું’ ‘બેઝમેન્ટ’ ‘હું શુદ્ધાત્મા છું' છે. એટલે આપણું જોયેલું કેવળજ્ઞાનના અંશમાં જાય. જેટલા અંશે આપણે જોયું, જેટલા અંશે આપણે આપણી જાતને છુટી દેખી, વાણીને છૂટી જોઈ, આ “ચંદુભાઈ” શું કરે છે તે જોયું, તેટલા અંશે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અમારે કોઇ ગાળો આપે તો તે અમારા જ્ઞાનમાં જ હોય, આ રેકર્ડ શું બોલે છે તેય મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય તે મારા જ્ઞાનમાં જ આ “ડિસ્ચાર્જ કોને કહેવાય ? એક મોટર છે, એ ચાવી આપવાથી ચાલતી હોય. તે ચાવી આપતી વખતે એને ચાર્જ કહેવાય છે. પછી એને ‘ડિસ્ચાર્જ' તરીકે મૂકી ત્યાર પછી એ આપણી સત્તામાં ખરી? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : પછી એ આપણી સત્તામાં નહીં. જેટલી ચાવી આપી હશે તેટલી જ જશે. અડધી આપી હશે તો અડધે જશે ને પા ભાગની આપી હશે તો તેટલી જ જશે અને આખી ચાવી આપી હશે તો આખી જશે. તેને આપણે અટકાવી ના શકીએ. આને ‘ડિસ્ચાર્જ' કહેવાય છે. એવું જ આ વાણી બધી ‘ડિસ્ચાર્જ થઇ રહી છે. ત્રણ બેટરીઓ ‘ડિસ્ચાર્જ થઇ રહી છે; વાણીની, વર્તનની અને મનની. વિચારો તમારી ઇચ્છા ના હોય તોય નિરંતર ‘ડિસ્ચાર્જ' થયા જ કરે. ગમતા હોય કે ના ગમતા હોય કે ના ગમતા હોય, પણ વિચારો તો નિરંતર ‘ડિસ્ચાર્જ થયા જ કરવાના.

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186