Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 135
________________ આપ્તવાણી-૪ ૨૨૧ ૨૨૨ આપ્તવાણી-૪ જેની જરૂર નથી એને જોશો નહીં. આપણે ઘડિયાળ આગળ જો જો કરીએ તો ઊલટું અહીં આગળ ઠોકર વાગે. એટલે આ ‘વિઝન'માં અમુક હદ સુધીનું જ જોઇ જોઇને ચાલવું. જયાં આવતી કાલ નામની વસ્તુ જ નથી એનો અર્થ શો ? જે કાળ ચાલી રહ્યો છે તે આજ છે અને ગયા કાળને ગઇકાલ કહે છે, એ ભૂતકાળ છે. ભૂતકાળને તો કોઇ મૂર્ખાય ના સંભારે, ને આવતી કાલ ‘વ્યવસ્થિત'ના હાથમાં છે. માટે વર્તમાનમાં રહો, એક વર્તમાનકાળમાં જ રહો. નક્કી કર્યું છે ? દસ લાખ રૂપિયા ? પ્રશ્નકર્તા : જેટલું વધારે મળે એટલું સારું. દાદાશ્રી : અત્યાર સુધી તમારું પૂરું જ નથી થયું? આ કાળા વાળ બદલાઈ ને ધોળા થયા તોય પુરું નથી થતું ? માટે એ દગો છે. હવે છાનામાના એની પડ છોડી દો ને નિરાંતે ચા-નાસ્તા કરો, જમો ને પછી કામધંધો કરો ! ચિંતા, સફળતાને અવરોધક ! પસતા અધિકાર, ચિંતા જન્માવે ! જે ઘેર ચિંતા થાય ત્યાં બધી જ મુશ્કેલીઓ આવ્યા કરે. ચિંતા એ અહંકાર છે. આ બધું ચલાવવાની તમારા હાથમાં સત્તા છે કંઇ ? જેની સત્તા છે તેની સત્તા જો આપણે લઇ લઇએ તો એ પછી હાથ ના ઘાલે. તમે એ સત્તા પર છોડી દો. પ્રશ્નકર્તા : ચિંતા ના થાય એના માટે શું કરવું ? દાદાશ્રી : પાછું ફરવું. અગર તો ‘ઇગોઇઝમ” ખલાસ કરવો જોઇએ. એ તો ‘જ્ઞાની પુરુષ' હોય ને જ્ઞાન આપે તો ચિંતા રહે જ નહીં. આ ચિંતા કર્યાનું ફળ શું છે ? પ્રશ્નકર્તા: એ ખબર નથી. દાદાશ્રી : ચિંતાનું ફળ જાનવર ગતિ છે. ચિંતા એ ‘એબોવ નોર્મલ” “ઇગોઇઝમ' છે. પ્રશ્નકર્તા : મને ચિંતા તો બહુ રહે છે. દાદાશ્રી : તમારી થોડી ચિંતા છે, તેથી તમને તો અહીં આવવાનો વખત મળ્યો. આ શેઠિયાઓને તો સંડાસ જવાનો પણ વખત નથી મળતો, એટલી બધી ચિંતાઓ થઇ ગઇ છે. બે મિલો થઇ, હવે ત્રીજી કરવી છે ! લોભ, લોભ ને લોભ. તમે કયાં સુધી મેળવવાનું આ ચિંતા કરવાથી દરેક કામ મોડું થાય. અહીં બહાર નીકળીને સવાર કયારે થશે, કયારે થશે એમ ચિંતા કરતા આખી રાત બેસી રહો તો સવારે વહેલી થાય ? ઊલટું મોડું થાય. એના કરતાં ઓઢીને સૂઇ જા ને. ચિંતાથી કામ આગળ ધકેલાય. શાક મળશે કે નહીં મળે એની ચિંતા કરે તો તેય ના મળે. જેનો ઉપાય નથી તેની ચિંતા શી? મરણનો ઉપાય નથી તેથી તેની કોઇ ચિંતા કરે છે ? ચિંતા થાય ત્યારે તમે શું કરો છો ? પ્રશ્નકર્તા ઃ ઇશ્વર સ્મરણ. દાદાશ્રી : તમારો કોઈ મિત્ર તમારી ઓળખાણ વગરનો છે ? પ્રશ્નકર્તા : ના, પણ ઓળખાણ વગર તો શી રીતે ભાઇબંધી થાય ? દાદાશ્રી : તેમ ઓળખાણ વગર ભગવાનનું સ્મરણ શી રીતે થાય? ચિંતા થવા માંડે તો સમજો કે કાર્ય બગડવાનું છે, ને ચિંતા ના થાય તો સમજજો કે કાર્ય બગડવાનું નથી. ચિંતા એ કાર્યને અવરોધક છે. ચિંતાથી ધંધો બેસે. પ્રશ્નકર્તા ઃ આ ચિંતા શાથી થાય છે ?

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186