________________
આપ્તવાણી-૪
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૪
તમે સાંભળ્યું કે પરમ દહાડે ડાકોર જવાનું છે તો તમને પછી ત્યાં જવાની ગાંઠ ફૂટે. જો કે એ ખોટું નથી. ખરાબ વિચારો કરતાં આ સારું કહેવાય. ભક્તિ એટલે શું ? કે ભક્તિનો રંગ રાખે તો બીજા સંસારના રોગ ના આવે.
પ્રશ્નકર્તા : ભક્તિમાર્ગ વાંચું તો તે કરવા જેવું છે એમ લાગે; યોગનું, કર્મનું, જ્ઞાનમાર્ગનું વાંચું તો તે કરવા જેવું છે એમ લાગે છે. એ શું ?
દાદાશ્રી : જગત આખું સ્વછંદ નામના રોગમાં છે, તે પોતાના માપે બધું માપવા જાય છે.
પ્રશ્નકર્તા : આપ જ્ઞાન આપો, પણ અમારો કંઈ પાયો તો જોઇએ
સંસાર ફળ મળે અને ધીમે ધીમે ઊર્ધ્વગતિ થયા કરે. અને બીજી પ્રત્યક્ષ ભક્તિ, જયાં ભગવાન પ્રગટ થયા છે તેમની પ્રત્યક્ષ ભક્તિ, ત્યાં ઉકેલ આવી જાય. પરોક્ષ ભક્તિમાં તો બહુ આડું આવે છે. પોતાના જ વિચારો પોતાને આડા આવે છે. ભક્તિનો માર્ગ સારો પણ ભક્તિનું તો એવું છે. ને કે કોઇ વખત સંયોગ બદલાય તો તે જતી રહે, પણ જ્ઞાન તો નિરંતર સાથે જ રહે.
પ્રશ્નકર્તા : ભક્તિમાર્ગમાં જોખમદારી કોના પર ? ભગવાન ઉપર ?
દાદાશ્રી : હા.
દાદાશ્રી : આ બધા જ પાયા વગરના હતા. પાયાવાળો કોઇ થયો જ નથી. જે જાણેલાથી ઠોકર વાગે તે અંધારું ના કહેવાય ? અજવાળામાં ઠોકર ના વાગે. વિષમ પરિસ્થિતિમાં સમતા રહે તેનું નામ જ્ઞાન, સમતામાં તો બધાને સમતા રહે. “મેં આ કર્યું, તે કર્યું, મેં ભક્તિ કરી.” એ બધું ‘ઇગોઇઝમ’ છે. જ્ઞાન ‘આઉટ ઓફ ઇગોઇઝમ' છે.
રણછોડજી ખોટા નથી, તારી ભક્તિ ખોટી છે. છતાં એ પરોક્ષ ભક્તિ છે, ‘સેકન્ડરી’ ભક્તિ છે. પરોક્ષ ભજનાનું ફળ અપરાભક્તિ અને અપરોક્ષ ભજનાનું ફળ પરાભક્તિ. પરાભક્તિથી મોક્ષ છે.
આ ભગતો છબલિકાના તાલમાં જ મસ્ત હોય. ભગવાનના તાલમાં મસ્ત થયો એવો કો'ક જ હોય ખાલી ભગવાનના નામ પર કરે છે તેથી કેટલું બધું થાય છે
નરસિંહ મહેતા પણ કહેતા કે, “હે ભગવાન, મને છોડાવ.” બધા ભક્તોને મહીં આર્તતા તો ખરી. આર્તવાણી તેમણે કાઢેલી કે, ‘ ભગવાન, દુ:ખથી મને છોડાવ.” છતાં એ ભક્તિ સારી, એના ઉપર જ ભેખ માનીને બેઠા. બધા કરતાં ઊંચી ભક્તિ કોની ? સાચા ભક્તોની. એ સાચા ભગવાનને નથી ભજતા, પણ પરોક્ષ ભગવાનને ભજે છે. છતાં એ સાચી ભક્તિ છે, એ પ્રત્યક્ષને આપનારી છે. પણ ખરો ભક્ત કયારે કહેવાય ? એય સંકલ્પ-વિકલ્પ પકડે નહીં ત્યારે. એ શું કહે કે સંકલ્પવિકલ્પ ભગવાન કરે છે, બધું ભગવાન પર છોડે. જયારે આ તો છોકરો પૈણાવે ત્યારે પોતે પૈણાવે અને જન્મે ત્યારે પેંડા વહેંચે, ને છોકરો મરી જાય ત્યારે ભગવાને માર્યો કહેશે ! ખરો ભક્ત તો બધું ભગવાન પર છોડી દે. એ શું કહે, ‘ભગવાન, મારે શું ? ભગવાન તારી લાજ જાય છે.' એવી ભક્તિ મળવી મુશ્કેલ છે. - એક “રીલેટિવ'નું ‘રીયલાઇઝ' કરે છે ને બીજું ‘રીયલ'નું રીયલાઇઝ કરે છે. ભક્તોને સાક્ષાત્કાર થાય તે શું છે ? કે મહીં મોરલીવાળા કૃષ્ણ દેખાય, એવી સિદ્ધિ લાવેલા હોય. પણ જો તે મને મળે તો હું તેમને કહ્યું કે, “એ તો દેશ્ય છે. ને તું દૃષ્ટા છે. તને જે મોરલીવાળા કષ્ણ દેખાય છે તે ખરા કણ નથી. એ તો દેશ્ય છે ને ખરા કૃષ્ણ તો તેને જે જુએ છે તે છે, તે તું ‘પોતે જ છે. આ તો દૃષ્ટિ દૃશ્યમાં પડી છે. દ્રષ્ટામાં પડે તો કામ થાય.’ ભક્તો પણ આ ધ્યેયને પામ્યા હોતા નથી. એમનેય એ જોઇએ છે. ધ્યેય હોય તો પોતે ધ્યાતા થાય, પણ ધ્યેયનું
ભક્તિ : પરોક્ષ અને પ્રત્યક્ષ !
પ્રશ્નકર્તા : ભક્તિમાર્ગમાં ભૌતિક સમસ્યાઓ આડી આવે છે ? દાદાશ્રી : ભક્તિમાર્ગ બે પ્રકારના છે. એક પરોક્ષ ભક્તિ, એનાથી