Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 109
________________ આપ્તવાણી-૪ ૧૬૯ ૧ % આપ્તવાણી-૪ જયારે આપણી પ્રકૃતિ પ્રતિકૂળતામાં ઊછળે ત્યારે મહીં ઘમસાણ મચી જાય, તે વખતે તપ કરવાનું છે. આ કાળમાં આવી પડેલાં તપ કરવાનાં છે. સતયુગમાં તો શેઠને આખી જિંદગી સુધી ખબર જ ના પડે કે ઘરમાં ચોખા કયાંથી આવે છે ને કેટલામાં આવે છે ? એની મેળે આવ્યા જ કરતું હોય ! અને આજે તો ઘરનાં બધા જ માણસને ખબર પડે કે હમણાં રેશન માટે ગયા છે તે ચોખા લાવશે, ખાંડ લાવશે. જુઓ પુણ્યશાળી (!) લોકો આ ! હેય ! મોટા બાર બાર માળના મકાનો બાંધ્યાં, છતાં એમની પુણ્ય કેવી કાચી પડે છે ? તેમાં ત્યાગ કશો કરવા જેવો નથી. શેનો ત્યાગ કરવા જેવો નથી ? વસ્તુનો ત્યાગ નથી કરવાનો, મૂછનો ત્યાગ કરવાનો છે. મૂર્છા કોને કહેવાય છે? મોહનીય કર્મને. લોકોએ વસ્તુઓ બહુ ત્યાગી છે, પણ વસ્તુ તો આખી ઊભી જ રહી છે. કારણ કે વસ્તુની મૂછ નથી ગઈ. ‘સ્વરૂપજ્ઞાન'ની પ્રાપ્તિ પછી તમને હવે મૂછ રહે નહીં. કારણ કે તમે શુદ્ધાત્મા થયા છો. શુદ્ધાત્મા થયા એટલે સર્વ મૂછ ગઇ. તમારું મોહનીય કર્મ સંપૂર્ણ નાશ થયું છે, નહિ તો શુદ્ધાત્માનું લક્ષ બેસે નહીં. મોહનીય કર્મનો છાંટો હોય ત્યાં સુધી શુદ્ધાત્માનું લક્ષ બેસે નહીં. શુદ્ધાત્માનું લક્ષ ! જ્ઞાની'ને ત્યાગાત્યાણ ?! વીતરાગ માર્ગના માણસનું જીવન ઉપયોગમય જોઇએ. એ ઉપયોગ કેવો હોય કે અશુભ થતું હોય એમાંથી શુભને ગ્રહણ કરે. પ્રશ્નકર્તા : “જ્ઞાની’ને ‘ત્યાગાત્યાગ’ સંભવે નહીં, એ સમજાવો. દાદાશ્રી : એટલે શું કે આ અહીં જમવાની થાળી આવી હોય ને તેમાં કઢી ખારી આવી તો “જ્ઞાની’ તેનો ઉકેલ લાવી નાખે. અને કઢી બહુ સારી આવી, સ્વાદિષ્ટ આવી હોય તેનો ઉકેલ લાવી નાખે. ત્યાં આગળ ‘આનો મને ત્યાગ છે” એમ ના કહે. ત્યાગ કહ્યું એટલે તિરસ્કાર કહેવાય, અને અત્યાગ એ રાગ છે. “જ્ઞાની'ને રાગ કે દ્વેષ કશું જ ના હોય માટે ‘જ્ઞાની'ને ત્યાગાત્યાગ સંભવે નહીં, જે આવ્યું તે વીતરાગ ભાવે સ્વીકારી લે ને તેનો ઉકેલ લાવી નાખે. આપણે તો નિકાલ કરીને ઉકેલ લાવવાનો છે. ભગવાને આ લોકો જે ત્યાગ કરે છે તેને ત્યાગ નથી કહ્યો. ભગવાને વસ્તુની મૂછના ત્યાગને ત્યાગ કહ્યો છે. આ ‘દાદા'ની પાસે ચીજો બધી જ છે. ફલાણું છે, વેપાર છે, એમના નામનો ધંધો ચાલે છે, એમના નામના ચેક ચાલે છે. ‘દાદા'એ કશું જ ત્યાગ્યું નથી. પણ ના, એમને મૂછ કોઇ જાતની નથી માટે એમને સર્વસ્વ ત્યાગ છે. અને સાધુ મહારાજ કહે છે ને કે મારું જન્મસ્થળ આ ગામમાં છે, તે ના બોલાય. ત્યાગી છતાં આ બધું મહીંનું મહીં ભરાયેલું હોય, તે મૂર્છા તૂટી નથી. અને અમે જે કહીએ છીએ પ્રશ્નકર્તા : દાદા, શુદ્ધાત્માનું લક્ષ બેસે એટલે એ અનુભવમાં આવે ત્યારે લક્ષ બેઠું કહેવાય ? દાદાશ્રી : રાત્રે તમે સૂઇ ગયા હો ને જાગો ત્યારે સૌથી પહેલું એની મેળે શું લક્ષમાં આવે છે તમને ? પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' એ જ આવે છે. દાદાશ્રી : એની મેળે “હું શુદ્ધાત્મા છું' એવું આવે તો લક્ષ બેસી ગયું છે એમ જાણવું. એને યાદ કરવું ના પડે. યાદ કરીએ તો એ તો યાદશક્તિ ના હોય તો યાદ ના પણ આવે. લક્ષ એ જાગૃતિ છે. અને આપણને તો અનુભવ હલે છે. અનુભવ, લક્ષ, પ્રતીતિ - આ ત્રણેય આપણને છે. આત્માનો અનુભવ થાય ત્યાર પછી જ સમભાવે ક્રિયા થાય, પ્રવર્તન થાય. દાદાઇ' અગિયારસ ! આ અગિયારસ કરે છે તે પણ ‘સાયટિફિક' છે. આ ‘દાદા’ની અગિયારસ જિંદગીમાં એક વખત કરે તો તેનું કલ્યાણ થઇ જાય તેમ છે, એક ફેરે ‘દાદા'ના નામ પર થવી જોઇએ. પ્રશ્નકર્તા: દાદાની અગિયારસ કેવી રીતે કરવી ?

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186