________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
દાદાશ્રી : નમ્રતા તો સામાન્ય માણસને પણ હોય, પણ “જ્ઞાની'ને તો અહંકાર જ ના હોય. ગાળ ભાંડે તોય અહંકાર ના હોય.
માંડે તો આપણે એમની માફી માગી, પાંચ-પચાસનાં ચશ્મા લાવી આપીને ખુશ કરવા. તેમ કરતા ઠંડા ના થાય તો એમ કહેવું કે ‘બાપજી, મારું મગજ જરા ચક્રમ છે. હમણાં જ ઘેર બૈરી જોડે લડીને આવ્યો છું.’ એટલે એ ખુશ થઇ જાય. કયાં સુધી આપણો ટાઇમ ત્યાં બગાડીએ ?
આતવાણી - કેવી ક્રિયાકારી !
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની” નિસ્પૃહી હોય ?
દાદાશ્રી : “જ્ઞાની’ નિસ્પૃહી ના હોય. નિસ્પૃહી તો ઘણાય હોય. ‘હમકો કુછ નહીં ચાહિયે” એવું ઘણાય કહે, પણ એ નિસ્પૃહનો અહંકાર છે. ‘જ્ઞાની પુરુષ' સસ્પૃહ-નિસ્પૃહ હોય, એટલે ભૌતિક સુખોમાં નિસ્પૃહ અને તમારા આત્મા માટે સસ્પૃહ.
પ્રશ્નકર્તા : સ્પૃહા એટલે ઇચ્છા ?
દાદાશ્રી : સ્પૃહા એટલે એક જ પ્રકારની ઇચ્છા નહીં, અનેક પ્રકારની, જાતજાતની વિનાશી સુખો ભોગવવાની ઇચ્છાઓ થાય એને સ્પૃહા કહેવાય.
પ્રશ્નકર્તા : આપ ભવિષ્ય બતાવી શકો છો ?
પ્રશ્નકર્તા : આપની ‘આપ્તવાણી’ વાંચતાં પરિણામ એટલું સરસ થાય છે કે વાંચ્યા જ કરીએ.
દાદાશ્રી : આ ‘જ્ઞાનીપુરુષ’ની વાણી છે ને પાછી તાજી છે. હમણાનાં પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. આમ કરતાં એમ ને એમ સમકિત થઈ જાય કોઇને ! કારણ કે આ વીતરાગી વાણી છે. રાગદ્વેષરહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ભગવાનની વાણી વીતરાગ હતી, તેની અસર આજ સુધી ચાલે છે. ૨૫૦૦ વર્ષ થયાં તોય તેની અસર થાય છે, તો ‘જ્ઞાની પુરુષ'ની વાણીનીય અસર થાય, બે-ચાર પેઢી સુધી તો થાય જ.
દાદાશ્રી : અમે એવું ના કહીએ, પણ તમે જો દુ:ખમાં હો તો તમને સંપૂર્ણ ચિંતારહિત કરી શકીએ.
વીતરાગ વાણી વગર બીજો કોઈ ઉપાય નથી, મોક્ષે જવા માટે.
“જ્ઞાતી'ની પરખ !!
પ્રશ્નકર્તા : “જ્ઞાની'ને ઓળખવા શી રીતે ?
દાદાશ્રી : એમને સળી કરો ને ફેણ ના માંડે તો જાણવું કે સાચા જ્ઞાની છે. પરીક્ષા તો કરવી પડે ને ? બાપજીમાં ક્રોધ, માન, માયા, લોભ દેખાય તો તરત દુકાન બદલવી.
પ્રશ્નકર્તા : “જ્ઞાની'ની પરીક્ષા કરીએ એમાં અવિનય થાય, એમને ખોટું લાગે, ને ખરા ‘જ્ઞાની’ હોય તો દોષેય લાગે ને ?
દાદાશ્રી : જો ખરા જ્ઞાની મળ્યા હોય તો પછી એ તો તમારું કલ્યાણ જ કરે, અજુગતું થાય તોય કલ્યાણ કરે. ને જે ક્રોધે ભરાય, ફેણ
પ્રશ્નકર્તા : આપ્તવાણીના બેઉ ભાગ મેં વાંચ્યા. એમાં ક્યાંય કોઈનું ખંડન કે ટીકા નથી, આખા પુસ્તકમાં !
દાદાશ્રી : એવું છેને, કે સમકિતી જીવ કોઇનોય વિરોધ ના કરે. એમનામાં ખંડન-મંડન ના હોય. શેને માટે ખંડન-મંડન ? શેને માટે વિરોધ? વિરોધ તો એક જાતનો અહંકાર છે, એ ગાંડો અહંકાર કહેવાય.
ધર્મ તો તેનું નામ કહેવાય કે વિખવાદ ના હોય. અમૃતવાદ હોય એ ધર્મ. વિખ એટલે વિષ.
પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતા વાંચતા ‘દાદા’ દેખાય છે ! દાદાશ્રી : હા... ‘દાદા’ દેખાય. ‘એક્કેક્ટ’ ‘દાદા’ દેખાય. જયાં