________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા : એટલે એમને બધું સોંપી દીધું હોય એટલે એ જ બધું કરે ?
- દાદાશ્રી : એ જ બધું કરે, તમારે કશું કરવાનું નહીં. કરવાથી તો કર્મ બંધાય. તમારે તો ખાલી લિફટમાં બેસવાનું. લિફટમાં પાંચ આજ્ઞાઓ પાળવાની. લિફટમાં બેઠા પછી મહીં કૂદાકૂદ કરશો નહીં, હાથ બહાર કાઢશો નહીં, એટલું જ તમારે કરવાનું. કો'ક વખત આવો માર્ગ નીકળે છે, તે પુણ્યશાળીઓને માટે જ છે. આ તો અપવાદ માર્ગ છે. દસ લાખ વર્ષમાં એક વખત અપવાદ નીકળે છે ! “વર્લ્ડ’નું આ અગિયારમું આશ્ચર્ય કહેવાય ! અપવાદમાં જેને ટિકિટ મળી ગઇ તેનું કામ થઇ ગયું.
માટે ભયંકર પ્રયત્નો લોકોએ આદર્યા છે. પણ એ શ્રદ્ધા બેસવી મુશ્કેલ થઇ પડે એવો વિચિત્ર કાળ છે. હવે આવા કાળમાં આત્માનો અનુભવ ‘જ્ઞાની પુરુષ' પાસેથી થઇ જવો એ જ આ “અક્રમજ્ઞાન'ની સિદ્ધિઓ છે. બધા દેવલોકોની જે ‘જ્ઞાની પુરુષ' પર કૃપા વરસે છે, આખું બ્રહ્માંડ જેના પર ખુશ છે, તેથી આ બધું પ્રાપ્ત થાય.
અક્રમમાં પાત્રતા ?..
... અપૂર્વ તે અવિરોધાભાસ છે
પ્રશ્નકર્તા : આ ‘અક્રમ’ દ્વારા મોક્ષ આપવાની વાત છે તે આપે શરૂ કરી કે પહેલાં કંઇક હતી એવી ?
દાદાશ્રી : દસ લાખ વર્ષે દર વખતે આવે છે. આ તદ્દન નવું નથી, પણ નવું એટલા માટે દેખાય છે કે આ દસ લાખ વર્ષથી કોઇ પુસ્તકમાં હોતું નથી એટલે અપૂર્વ કહેવાય છે. વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય, જાણ્યું ના હોય, એવું આ અપૂર્વ !
પ્રશ્નકર્તા ઃ આપ જ્ઞાન આપો છો તેની પાછળ કંઇક વૈજ્ઞાનિક ભૂમિકા હોય તો એવી કંઇક વાત કરોને ?
દાદાશ્રી : આ આખું વિજ્ઞાન જ છે, અવિરોધાભાસી વિજ્ઞાન છે. અને વિજ્ઞાનની ભૂમિકા શું છે ? તમારા સર્વ પાપો ભસ્મીભૂત કરી નાખે છે. તેના વગર તો તમે સાક્ષાત્કાર પામો જ નહીં અને સાક્ષાત્કાર પામ્યા સિવાય મોક્ષે જઇ શકો નહીં, અને તે સાક્ષાત્કારયોગ નિરંતર રહેવો જોઇએ. એક ક્ષણ પણ સાક્ષાત્કારયોગ ના બદલાય, એની જાતે જ રહે, આપણે યાદ ના કરવો પડે.
આત્મા જાણવા માટે, અરે આત્મા જાણવાની વાત કયાં ગઇ પણ આત્મા કંઇક શ્રદ્ધામાં આવે કે “આત્મા છું' એવી પ્રતીતિ બેસે એટલા
પ્રશ્નકર્તા : ઉપાદાનની યોગ્યતા વગર, પાત્રતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે ? કરી શકે તો કેટલો ને કેવા પ્રકારે ?
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં ઉપાદાનની યોગ્યતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે નહીં. આ અક્રમજ્ઞાની ગમે તેનું કામ કરી શકે, એમને ભેગો થયો એનું નામ જ પાત્રતા. આ તો ‘અક્રમ વિજ્ઞાન' છે, કલાકમાં જ મુક્તિ આપે એવું આ વિજ્ઞાન છે ! જે કરોડો અવતારે ના બને તે કલાકમાં જ બની જાય છે ! તરત ફળ આપનારું છે. ક્રમિક એટલે શું કે ‘સ્ટેપ બાય સ્ટેપ.” પગથિયે પગથિયે ચઢવાનું, પરિગ્રહ છોડતાં છોડતાં ઊંચે ચઢવાનું.
પ્રશ્નકર્તા: જે સત્તામાં દોષો પડ્યા હોય તો તે અક્રમિક માર્ગથી સદ્દગુરુ એનો નાશ કરી શકે ?
દાદાશ્રી : હા, બધું ઉડાડી મેલે.
પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ દોષોનો નાશ ના કરી શકે, પણ સદ્ગુરુ કરી શકે ?
દાદાશ્રી : “જ્ઞાની પુરુષ' બધું જ કરી શકે. ‘જ્ઞાની પુરુષ' શું ના કરે ? બધું જ કરી શકે, કારણ કે એ કર્તા નથી. જે કર્તા હોય તેનાથી કશું થાય નહીં. અને “જ્ઞાની પુરુષ' તો કર્તા જ નથી, ખાલી નિમિત્ત જ છે.
પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ ના કરી શકે ?
દાદાશ્રી : પોતાનો આત્મા જ કરતો હોત તો અત્યાર સુધી રઝળપાટ હોત જ નહીંને ? નિમિત્ત વગર કોઈ દહાડો ઠેકાણું પડે નહીં. પોતાનો આત્મા કશું કરી શકે નહીં. જે બંધાયેલો છે તે સ્વયં શી રીતે છૂટી