________________
આપ્તવાણી-૪
૧૦૧
ક્યારેય દહાડો વળે નહીં. ખરેખર તમે ‘પોતે’ ચંદુલાલ નથી. “બાય રીલેટિવ વ્યુ પોઇન્ટ યુ આર ચંદુલાલ.’ ‘બાય રીયલ વ્યુ પોઇન્ટ’થી તમે શું છો એ તપાસ કરવી જોઇએને ? ના કરવી જોઇએ ? એટલે અત્યારે ‘તમારી’ ઉપર દેહનો જ ‘કંટ્રોલ’ છે. એકલા દેહનો જ નહીં, મનનો હલ ‘કંટ્રોલ’ છે ! મન ‘કમ્પલીટ ફીઝિકલ” છે. આ બધાયનો ‘કંટ્રોલ’ અત્યારે તમારા પર છે. અરે, દેહના જીવ પરના કંટ્રોલની ક્યાં વાત કરો છો, એક ગૂમડું થયું હોય તે લપકા મારે તેનોય ‘કંટ્રોલ” જીવ ઉપર છે !
૧૦૨
આપ્તવાણી-૪ એ વસ્તુ હોવી જોઇએને ?
દાદાશ્રી : એ ઉત્પત્તિ પહેલાંની જ વસ્તુ છે. ગીતાની વાત સાચી છે. ઉત્પત્તિ પછી અહંકાર ના હોય. મૂળ તો અહંકાર પહેલો થાય અને પછી ઉત્પત્તિ થાય. આ ભવમાં તમે જે જે કર્મો ક્ય, તેનો જે અહંકાર કરો છો તેનું ફળ આવતા ભવમાં આવે છે. આ તો કરે છે બીજું કોઇ ને તમે ભ્રાંતિથી માનો છો કે મેં કર્યું. જો પોતે કર્તા હોય ને તો કોઇ નનામીમાં ના જાય. સંડાસ જવાની શક્તિ નથી કોઇનામાં. છતાં એની બીજી પોતાની શક્તિઓ છે, પણ એ શક્તિઓ પ્રગટ થઇ નથી. અને જે ‘હું કરું છું 'એમ કહે છે એ તો ‘પોતાની’ શક્તિની બહારની વસ્તુ છે. લોકો કહે છે ને કે, “મેં ખાધું, મેં પીધું, મને ભૂખ લાગી ” ‘લાગી ત્યારે હોલવી નાખને ?” ત્યારે કહે, “ના, મહીં નાખ્યા વગર હોલવાય નહીં!' અહંકાર પહેલો થાય છે ત્યાર પછી આ શરીર બંધાય છે, ત્યાર પછી આ બહારનાં પરિણામ થાય છે. અહંકારથી કર્મ બંધાય છે ને તેનું આ ફળ છે. આ મન, વચન, કાયા એ બધું ફળ છે. અહંકાર ‘કોઝ' છે ને આ મન, વચન, કાયા એ ‘ઇફેકટસ' છે. “કોઝિઝ એન્ડ ઇફેકટ’ ‘ઇફેકટ એન્ડ કોઝિઝ' એમ ચાલ્યા જ કરે. ‘કોઝિઝ' ને ‘જ્ઞાની પુરુષ' બંધ કરી આપે. એટલે માત્ર ‘ઇફેકટ્સ' જ રહે, પછી ફરી ‘ઇફેક્ટિવ બોડી’ થાય નહીં.
અહંકારનું સ્વરૂપ ! પ્રશ્નકર્તા: ખરેખર આવાગમન આત્માને છે કે દેહને ?
દાદાશ્રી : આવાગમન તો નથી દેહને કે નથી આત્માને, અહંકારને જ આવાગમન છે. આ દેહ છે, એતો એનું બધું સાધન લઈને આવે છે, પણ મૂળ આવાગમન તો અહંકાર જ કરે છે. જેનો અહંકાર ખલાસ થઇ ગયો તેનું આવાગમન બંધ થઇ ગયું.
પ્રશ્નકર્તા : અહંકારની સાચી વ્યાખ્યા શું છે ?
દાદાશ્રી : અહંકારની સાચી વ્યાખ્યા જગત સમક્યું નથી. લોકો જે સમજ્યા છે એ પ્રમાણે નથી. સહુ પોતાની ભાષામાં જ સમજે છે. દરેકની પોતપોતાની ભાષા જુદી હોય ને ? પણ એ ભગવાનની ભાષા આગળ નહીં ચાલે. ત્યાં તો ‘ટેસ્ટ લેવાની’ છે, ત્યાં એ કામ નહીં લાગે.
અહંકાર એટલે પોતે કરતો ના હોય છતાંય કહેશે કે ‘હું કરું છું” એ આરોપિત ભાવ છે. એને અહંકાર કહેવામાં આવે છે. અહંકાર મૂળ વસ્તુ છે ને એમાંથી માન, અભિમાન, ગર્વ, ઘેમરાજી બધા જાતજાતના શબ્દો થયા છે. અભિમાન વસ્તુ કેવી છે ? એમાં આરોપિત ભાવ એટલે કે અહંકાર તો છે જ, પણ “મારે ચાર બંગલા છે, બે ગાડીઓ છે એવું પ્રદર્શન કરે એ અભિમાન કહેવાય.
જે પોતે નથી કરતો તે કરવાનો આરોપ કરવો તે અહંકાર. પ્રશ્નકર્તા : ગીતામાં અહંકારને મૂળ વસ્તુ કહી છે, ઉત્પત્તિ પહેલાંની
ધર્મ : ભેટ સ્વરૂપે - અભેદ સ્વરૂપે
દુનિયામાં ધર્મ બે પ્રકારના હોય : એક, આત્મા-પરમાત્માને અભેદ સ્વરૂપે ઓળખવા, તે એક પ્રકારનો ધર્મ છે. બીજો, આત્મા-પરમાત્માને ભેદ સ્વરૂપે ઓળખવા, એટલે હું અને ભગવાન બે જુદા છીએ એ રીતે ઓળખવા તે.
પહેલા પ્રકારનો ધર્મ એવો છે કે આત્મા એ જ પરમાત્મા છે એવું ભાન થાય. આ સાચો ધર્મ છે, ત્યાર પછી મુક્તિ મળે. પોતાનો આત્મા એ જ પરમાત્મા છે, એવું ભાન થાય ત્યારે મુક્તિ મળે.
અને આત્મા-પરમાત્મા જુદા છે એવું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી