________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
પડે છે કે, ‘તમારે નકલ કરવી છે ? નકલ કરશો તો તમારી મહેનત નકામી જશે.” “ધીસ ઇઝ બટ નેચરલ.’ અને તેય સુરતના સ્ટેશને બાંકડા ઉપર બેઠેલો ત્યારે ભયંકર ભીડમાં આ જ્ઞાન પ્રગટ થયેલું !
પ્રશ્નકર્તા : આપને ‘બટ નેચરલ’ જ્ઞાન થયું તે શું ? તે સમજાવો.
દાદાશ્રી : ‘બટ નેચરલ’ જ્ઞાન કો'કને જ થાય. કોઈ કહેશે કે, “મેં જાતે કર્યું છે.’ તો તે જ્ઞાન અધૂરું રહે છે. આ તો “નેચરલી' એની મેળે થયું છે. જે કર્યું હોય તો ૮૦ ટકા વિકલ્પ ઓછો થયો તો ૨૦ ટકા બાકી રહે. આ તો ૧૦ ટકા નિર્વિકલ્પ છે, આ વીતરાગ વિજ્ઞાન છે.
જ્ઞાતી', મોક્ષનો પુરાવો આપે !
દાદાશ્રી : જે જામી ગયેલાં છે, બરફ રૂપે થઈ ગયાં છે, તે કર્મો ને તો ભોગવ્યે જ છૂટકો. વરાળ અને પાણી રૂપે હોય તેને “જ્ઞાની’ ભસ્મીભૂત કરી આપે. છતાંય પોતે તો નૈમિત્તિક ભાવમાં જ હોય, અકર્તા જ રહે.
પ્રશ્નકર્તા: મોક્ષ એટલે શું ?
દાદાશ્રી : મોક્ષ એટલે સર્વ દુઃખથી મુક્તિ અને સનાતન પરમાનંદ રહે. મોક્ષ એટલે મુક્તભાવ.
પ્રશ્નકર્તા : બંધન શેનાથી છે ?
દાદાશ્રી : અજ્ઞાનથી.
પ્રશ્નકર્તા : આપનો નિત્યક્રમ શું છે ?
દાદાશ્રી : હું મારા મોક્ષમાં જ નિરંતર રહું છું, અત્યારે પણ હું મારા મોક્ષમાં જ છું. આ વાણી નીકળે છે તે ‘ટેપરેકંડ’ નીકળી રહી છે, આનો માલિક હું નથી. આ વાણી ‘ખરી છે કે ખોટી છે” તેને હું જોયા કરું છું.
પ્રશ્નકર્તા: આપની મહીંની ‘ટેપ' ના બોલે ત્યારે એ ‘બ્લેન્ક' જાય ખરી ?
દાદાશ્રી : સંભળાય તેવી ‘ટેપ પણ ચાલુ હોય અને સૂક્ષ્મ વાણીની ‘ટેપ” પણ ચાલુ હોય.
પ્રશ્નકર્તા: ‘જ્ઞાની પુરુષ' પરમાણુ બદલી શકે ? કે પછી એમની હાજરીથી બદલાય છે ?
દાદાશ્રી : દૂધમાં દહીં નાખ્યા પછી “જ્ઞાની’ કશું જ ના કરી શકે. દહીં નાખતાં પહેલાં કહે તો થાય, પછી કશું વળે નહીં. ‘જ્ઞાની” કર્મો ભસ્મીભૂત કરી શકે, એ એકલી જ એમની સત્તા. અમુક ભાગના રંગ બદલી શકે, એ અમે કરી આપીએ છીએ.
પ્રશ્નકર્તા : દૂધમાં દહીં નાખ્યું એ કોને કહેવાય ?
પ્રશ્નકર્તા : મોક્ષ એ સ્થળ છે કે અવસ્થા છે ?
દાદાશ્રી : એ અવસ્થા છે અને તે આ ‘અવસ્થા’ નહીં, એ સ્વાભાવિક અવસ્થા છે.
પ્રશ્નકર્તા: મોક્ષ એટલે સ્વતંત્રતા ?
દાદાશ્રી : હા, સચ્ચી આઝાદી-કોઇ ઉપરી નહીં ને કોઇ “અંડરહેન્ડ' પણ નહીં.
પ્રશ્નકર્તા : એવી મુક્ત સ્થિતિ સંસારમાં ઉપલબ્ધ ખરી ?
દાદાશ્રી : કેમ નહીં ? આ હું પ્રાપ્ત કરીને બેઠો જ છું ને ? સંસારમાં રહીને ઉપલબ્ધ થાય તેના પુરાવારૂપે હું છું. મને જોઇને તમને ‘એન્કરેજમેન્ટ’ મળે કે સંસારમાં પણ ઉપલબ્ધ થઇ શકે તેમ છે.
પ્રશ્નકર્તા ઃ દર્શન અને જ્ઞાનમાં શું ફેર છે ?
દાદાશ્રી દર્શન જ મોક્ષે જવાનું મુખ્ય સાધન છે. જ્ઞાન તો દર્શનનું વિશેષ ભાવે છે. અને જ્ઞાન દર્શન ભેગું થાય ત્યારે ચારિત્ર ઉત્પન્ન થાય. જ્ઞાન કોને કહેવાય ? દર્શન કરીને જે જાણેલું, સમજેલું તે અંદર ફીટ થઈ જાય પછી તે બીજાને સમજાવે, એવી દશા ઉત્પન્ન થાય ત્યારે એ જ્ઞાન