Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 46
________________ આપ્તવાણી-૪ ૪૩ ૪૪ આપ્તવાણી-૪ જાણે કે જે જલદી જતો હોય તેને જ પુરુષાર્થ કહે. આપણા લોક પુરુષાર્થ તો ઉતાવળ કરવી, ધમાલ કરવી, દોડધામ કરવી, આખો દહાડો નવરો ના રહેતો હોય તેને કહે છે. ‘બહુ પુરુષાર્થી માણસ છે, બહુ પુરુષાર્થી માણસ છે’ એમ કહે. અલ્યા, આ ભમરડો આખો દહાડો ફરવા માટે જ જન્મેલો છે. એને પુરુષાર્થ કેમ કહેવાય છે ? પુરુષાર્થ એટલે ઉપયોગમય જીવન ! કરીએ તો કંઇ વળે ? મહીં હૃદય લાલ થઇ જાય, બૂમ પાડી દેવાય એવું થાય ત્યાં તપ કરવું પડે. તપ એટલે શું? છેલ્લું તપ કોને કહેવાય ? ‘હોમ ડિપાર્ટમેન્ટ’ અને ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ એકાકાર ના થાય, ત્યાં જાગૃતિ રહે એને તપ કહ્યું છે ભગવાને ! - પુરુષાર્થ ઊંધો કરે તો ઊખડીય જાય. પોતે ‘હૉલ એન્ડ સોલ’ રીસ્પોન્સિબલ છે, જવાબદાર છે. છતું કરવું હોય તો છતું કર ને ઊંધું કરવું હોય તો ઊંધું કર. ચિંતા ના થાય એવું આ જ્ઞાન છે. ચિંતાથી માણસ સળગી જાય છે. એક માણસ મને એમ કહેતો હતો કે, ચિંતા ના હોય તો મારાથી કામ જ ના થાય. માટે મારી ચિંતા રહેવા દેશો. મેં એને કહ્યું કે, “બહુ સારું, તું આપણું જ્ઞાન જ ના લઇશ. સત્સંગમાં એમ ને એમ જ આવજે.” એના મનમાં એમ કે ચિંતા હોય તો આ કામ થાયને, નહીં તો કામ જ ના થાયને ? એ જાણતો નથી કે પોતે કરે છે કે કો'ક કરે છે. એને તો એમ જ ખબર છે કે હું કરું છું આ બધું ! “વ્યવસ્થિત'ની યથાર્થ સમજ ! પુરુષાર્થ એટલે ઉપયોગમય જીવન. આપણે અહીં શુદ્ધ ઉપયોગ હોય ને બીજે શુભ ઉપયોગ હોય. જે અશુભ થઇ ગયું હોય, પણ ઉપયોગપૂર્વક તેને શુભ કરી નાખે. એટલે જેટલા લોકોના સંયમ દેખાય છે તે સ્વાભાવિક છે. તે પોતે જાણતો નથી કે હું પુરુષાર્થ કરું છું. એ એની પ્રકૃતિનો સ્વાભાવ છે. જે સ્વાભાવિક થાય એને પુરુષાર્થ ના કહેવાય. પુરુષાર્થ આપણે જાણીએ કે, આ પુરુષાર્થ છે, બીજું બધું પ્રારબ્ધ છે, પુરુષ થયા પછીનો પુરુષાર્થ એ સાચો પુરુષાર્થ કહેવાય. આ રીયલ પુરુષાર્થ છે ને પેલો રીલેટિવ પુરુષાર્થ કહેવાય. પ્રશ્નકર્તા : સમતા અને સંયમમાં ફેર શો ? દાદાશ્રી : સંયમ એ પુરુષાર્થ છે, અને સમતા એ તો જ્ઞાનથી ઉત્પન્ન થનારો સ્વભાવ છે. ‘ય’નેય પુરુષાર્થ કહ્યો છે, ‘નિયમનેય પુરુષાર્થ કહ્યો છે, ને ‘સંયમનેય પુરુષાર્થ કહ્યો છે. આ દેખીતો સંયમ નહીં. પુરુષાર્થ દેખાય નહીં કોઇ દહાડોય ! પ્રશ્નકર્તા : સંયમ અને તપમાં શું ભેદ છે ? દાદાશ્રી : બેઉ જુદાં જ છે. સંયમમાં તપવાનું નથી હોતું અને તપમાં તો તપવાનું હોય. કોઇ કહેશે કે, ખોરાકમાં તમને સંયમ નથી. તો ખોરાક પ્રમાણસર લે તો સંયમ થાય. ને તપમાં તો મનને તપાવવું પડે, બાળીને તપાવવું પડે અને આપણું તપ તો જુદું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તેમાનું તપ છે. આપણું તો, બહાર દેહને અશાતા થાય છે, તે ઘડીએ આપણે તપ કરવું પડે. કારણ કે જયાં સુધી પૂરણ છે તે પૂરણ, ગલન ના થઇ જાય ત્યાં સુધી આપણે તપ કરવું પડે. બૂમાબૂમ પ્રશ્નકર્તા: ‘પ્રારબ્ધ’ અને ‘વ્યવસ્થિત' એ બન્નેને શું સંબંધ છે ? દાદાશ્રી : આમ જુઓ તો કશોય ફેર નથી. પણ લોકોએ પ્રારબ્ધનો અવળો અર્થ કર્યો એટલે અમે બીજી ભાષામાં વાત સમજાવી. પણ પ્રારબ્ધ કરતાં વ્યવસ્થિત ઊંચું છે. વ્યવસ્થિત શું કહે છે કે, તું તારે કામ કર્યું જા, બીજું બધું ફળ વગેરે મારી સત્તામાં છે. અને પ્રારબ્ધ કંઈ એવું નથી કહેતું એટલે વ્યવસ્થિત એ કમ્પલીટ વસ્તુ છે. એના પર આધાર રાખી ને ચાલો. તો હરકત આવે નહીં. પ્રારબ્ધ સાચી વાત હતી, પણ અવળો જ આધાર થઈ ગયો ત્યાં શું થાય ? પ્રશ્નકર્તા : મને એમ લાગે છે કે પ્રારબ્ધ શબ્દ છે તે વ્યક્તિને અનુલક્ષીને અને વ્યવસ્થિત છે તે સમષ્ટિને અનુલક્ષીને છે. આ બરાબર છે ? દાદાશ્રી : ના, એવું નથી, પ્રારબ્ધ વ્યક્તિને અનુલક્ષીને ખરું જ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186