________________
આપ્તવાણી-૪
૫૩
૫૪
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા: કોઇ કહે કે આપણે શ્રમ કરીએ તો જ પ્રારબ્ધ મળે ને કોઇ કહે કે પ્રારબ્ધ હોય તો જ શ્રમ કરવાનો મોકો મળે. આમાં સાચું
આપણે ઊઠવાનું ને ચલાવે તેમ ચાલવાનું. ખરાબ વિચારોય તેની મારફત થાય છે. સારા વિચારોય તેની મારફત થાય છે. આ બહુ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા : અત્યારે જે પ્રારબ્ધ છે એ પૂર્વભવના આપણા ભાવનું ફળ છે ?
દાદાશ્રી : હા, એ પૂર્વભવના ભાવનું ફળ છે, અને અત્યારે જે નવા ભાવો ઉત્પન્ન થાય તે આવતા ભવનું કારણ છે.
પ્રશ્નકર્તા : નવા ભાવ ઉત્પન્ન થાય તે આને આ જ ભવમાં ફળ ના આપે ?
દાદાશ્રી : ના, કશું ના ફળે. નવા ભાવ છે તે ‘કોઝિઝ’ છે અને ‘કોઝિઝ'ની આવતા ભવે ‘ઇફેકટ' થાય. એટલે ‘કોઝિઝ એન્ડ ઇફેકટ, ઇફેકટ એન્ડ કોઝિઝ' એમ ચાલ્યા જ કરે. અનંત અવતાર સુધી ચાલ્યા કરે ! જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' ‘કોઝિઝ' બંધ ના કરે, ભાવકર્મનો કર્તા બંધ ના થાય ત્યાં સુધી આ ઘટમાળ ચાલ્યા જ કરે !
સફળ થાય તે પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : દેઢ પુરુષાર્થથી પ્રારબ્ધને ફેરવી શકાય ?
દાદાશ્રી : પુરુષાર્થ એકલો હોય તોય ફેરવાય, પણ પુરુષાર્થ કોને કહેવાય એ જાણવું પડે ને ? જાણ્યા વગર શું કામ થાય ? આ નોટોમાં એક સાચી હોય ને બીજી બનાવટી હોય, તેમાં સાચીને આપણે ઓળખીએ નહિ ને બનાવટી લઇને જઇએ તો કોણ પૈસા આપે ? પુરુષાર્થ કોને કહો છો તમે ?
પ્રશ્નકર્તા : ધર્મ અને મોક્ષને માટે જે ક્રિયાઓ કરીએ, તે પુરુષાર્થ ?
દાદાશ્રી : એ પુરુષાર્થ ના કહેવાય. એ તો હિતકારી કર્યું કહેવાય. અને એ સિવાયનું જે કરીએ એ અહિતકારી બધું. આ તો હિતકારી ને અહિતકારી થયું, પણ પુરુષાર્થ કોને કહેવાય ? આપણે જે કરીએ તો સફળ થાય તે પુરુષાર્થ.
દાદાશ્રી : આ આંખે જે જે દેખાય છે, કાને જે જે સંભળાય છે, નાકે જે જે સુગંધ આવે છે, જીભથી જે જે ચખાય છે, ચામડીથી જે જે અર્શ થાય છે, આ પાંચ ઇન્દ્રિયોના જ્ઞાનથી જે જે અનુભવમાં આવે છે, એ બધુંય પ્રારબ્ધ છે. બોલો, હવે આવી વાત શી રીતે સમજે લોકો ?
પ્રશ્નકર્તા : તો પુરુષાર્થની જરૂર તો ખરી જ ને ?
દાદાશ્રી : ખરી રીતે આ બધું પ્રારબ્ધ જ છે. ખરો પુરુષાર્થ લોકોને સમજાયો નહીં એટલે ભ્રાંત પુરુષાર્થ ખોળી કાઢયો. બ્રાંત પુરુષાર્થ એટલે ઇલ્યુઝન' જેવો ! પુરુષાર્થ જડે એવી વસ્તુ નથી. પુરુષાર્થ જો જડે ને તો કાલે બધા જ લોકો પુરુષાર્થ કરીને મોક્ષે ચાલ્યા જાય ! પણ આ તો પ્રારબ્ધને જ ફેરવી ફેરવ કરે છે, એટલે આમની મહેનત નકામી જાય છે. ત્યારે હું તે સહેજમાં બતાવી દઉં છું, એટલે એમની મહેનત ફળે છે. પુરુષાર્થ તો તેનું નામ કહેવાય કે જે સફળ હોય, નહીં તો અનંત અવતાર માથાકૂટ કરે તોય કશું વળે નહીં. કારણ કે અજ્ઞાનીની માથાકૂટો ! અજ્ઞાનીથી અજ્ઞાન કોઇ દહાડો જાય નહીં.