________________
આપ્તવાણી-૪
૨૫
આપ્તવાણી-૪
‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન થાય ત્યારથી જ એનું ધ્યાન એની મેળે જ રહ્યા કરે, તમારે કરવું ના પડે. જયાં કંઈ પણ કરવાપણું છે તે તો સંયોગોને આધીન છે. સંયોગ હોય તો થાય ને ના હોય તો ના થાય. અને આ તો શુદ્ધાત્માનું એક ફેરો ભાન થયું કે ધ્યાન એની મેળે ઉત્પન્ન થાય જ. એક હીરો કોઇ જગ્યાએ મૂકયો હોય ને તમે એકલા જ જાણતા હો તો તે તમારા ખ્યાલમાં હોય કે અમુક જગ્યાએ મૂક્યો છે, તો તમારું ધ્યાન ત્યાં રહ્યા જ કરે ! સાસરીમાં બેઠા હો તોય તમારું ધ્યાન ત્યાં હોય. ભૂલી જાવ તે ઘડીએ પ્રતીતિરૂપે હોય. નહીં તો ખ્યાલરૂપે તો હોય જ. ધ્યાનનો ભાઇ જ ખ્યાલ છે !
ધ્યાન એટલે કોઇને આવડે નહીં, એનું નામ ધ્યાન. જે કરવામાં આવે છે તે અહંકારે કરીને છે. તેથી તે ધ્યાન ના કહેવાય, એ એકાગ્રતા કહેવાય. જયાં અહંકાર હોય નહીં ત્યાં ધ્યાન હોય, ધ્યાન અહંકારે કરીને થઇ શકે નહીં. ધ્યાન તો સમજવા જેવી વસ્તુ છે, કરવાની નથી. ધ્યાન અને એકાગ્રતામાં બહુ ફેર. એકાગ્રતા માટે અહંકારની જરૂર. ધ્યાન તો અહંકારથી નિર્લેપ છે. અહંકાર ઘટે વધે તે તમારા ધ્યાનમાં રહે કે ના
રહે ?
પ્રશ્નકર્તા : હા.
અહંકાર-ધ્યાનમાં નહીં પણ જ્યિામાં !
દાદાશ્રી : અહંકાર વધ્યો કે ઘટયો તે ધ્યાનમાં રાખે એનું નામ ધ્યાન કહેવાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાનમાં પણ અહંકાર વપરાતો નથી.
પ્રશ્નકર્તા : ધર્મધ્યાનમાં અહંકાર ખરોને ?
પ્રશ્નકર્તા : ધ્યાન મારે કેવી રીતે ધરવું ? બરાબર થતું નથી. મારે શીખવું છે.
દાદાશ્રી : ધ્યાન તમે કરો છો કે બીજું કોઇ કરે છે ? પ્રશ્નકર્તા : હું કરું છું. દાદાશ્રી : કોઇ વખત ના થાય એવું બને ખરું ?
દાદાશ્રી : તેમાંય અહંકાર નહીં. ધ્યાનમાં અહંકાર નથી, ક્રિયામાં અહંકાર છે.
પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન ને આર્તધ્યાનમાં નિમિત્ત તો અહંકાર ખરો
પ્રશ્નકર્તા : હા, બને.
દાદાશ્રી : એનું કારણ છે. જયાં સુધી ‘આપ ચંદુલાલ' છો.' ત્યાં સુધી કોઇ ‘કામ કરેક્ટ' થાય નહીં. ‘તમે ચંદુલાલ છો’ એ કેટલા ટકા સાચી વાત હશે ?
પ્રશ્નકર્તા : સો ટકા.
દાદાશ્રી : જયાં સુધી આ ‘રોંગ બીલીફ’ છે ત્યાં સુધી ‘મેં આટલું કર્યું. આમ કર્યું.’ એ ‘ઇગોઇઝમ’ છે. જયાં જયાં કરો તેનો કર્તાપણાનો ‘ઇગોઇઝમ” થશે અને કર્તાપણાનો ‘ઇગોઇઝમ' વધશે તેમ ભગવાન છેટા થશે. જો તમારે પરમાત્માપદ જાણવું હોય તો ‘ઇગોઇઝમ' જશે તો કામ થશે.
દાદાશ્રી : નિમિત્ત એકલું જ નહીં, પણ ક્રિયા પણ અહંકારની છે. ક્રિયા એ ધ્યાન નથી. પણ ક્રિયામાંથી ઉત્પન્ન થતું પરિણામ એ ધ્યાન છે. અને જે ધ્યાન ઉત્પન્ન થાય છે તેમાં અહંકાર નથી. આર્તધ્યાન થઈ જાય, તેમાં ‘હું આર્તધ્યાન કરું છું’ એમ ના હોય, તેથી ધ્યાનમાં અહંકાર ના હોય. અહંકાર ‘બીજી જગ્યાએ” વપરાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : ધ્યાનમાં અહંકાર નથી, કર્તા નથી, તો કઈ રીતે બંધાય ?
દાદાશ્રી : આર્તધ્યાન થયા પછી ‘મેં આર્તધ્યાન કર્યું’ એ માને, ત્યાં કર્તા થાય છે, ને તેનું બંધન છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે ધ્યેય નક્કી થાય અને પોતે ધ્યાતા થાય