Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 21
________________ ૧ ૨ અમૃતવેલની સઝાય આત્મતત્વનો જ સ્વાધ્યાય કરનારા, વિરક્ત પરિણામવાળા, પૌદ્ગલિક સુખથી સર્વથા નિરપેક્ષ, કોઈપણ જાતની પરાપેક્ષા નહીં રાખનારા, આત્મસ્વરૂપમાં જ મગ્ન આવા મુનિને હે જીવ ! તું ગુરુ સમજ, આ જ તારું કલ્યાણ કરે તેમ છે. . જીવને સાચે માર્ગે ચડાવનાર છે. ત્યાગ, તપ, સ્વાધ્યાય અને વૈરાગ્યના ગુણો આપનારા આ મહાત્મા છે. આવા ગુરુનો હે જીવ ! તું પરિચય કર. તથા અહિંસા (કોઈ જીવને દુઃખ-પીડા થાય તેવી વાણી કે તેવું વર્તન કરવું નહી) સંયમ (પાંચે ઈન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ, ભોગો ઉપર ઘણો જ કંટ્રોલ) અને તપ (નિત્ય એકાસણું કે જેથી શરીર નિરોગી રહે, સ્વાધ્યાય સારો થાય, ગુરુ આદિ વડીલોની વૈયાવચ્ચ થાય તેવો તપ) હે જીવ ! તું કર, આ જ ધર્મ છે. પૂર્વાચાર્યોએ તેના જુદા જુદા ભેદો સમજાવ્યા છે. રાગ-દ્વેષ ન કરવા તે ધર્મ, મમતા-મૂછ ન કરવી તે ધર્મ, કોઈ જીવને દુભાવવો નહીં તે ધર્મ, પરોપકાર કરવો તે ધર્મ આમ ધર્મની અનેક વ્યાખ્યાઓ આપી છે તે બધી વ્યાખ્યાઓ રત્નતુલ્ય છે. તેમાં તું તારી મતિ લગાવ. પણ જે મિથ્થામતિ છે, તે કાચના ટુકડાતુલ્ય છે ત્યાં પ્રીતિ ન લગાવ. ક્યાં રત્ન? ક્યાં કાચનો ટુકડો? ક્યાં મેરૂપર્વત? અને ક્યાં પરમાણું? આટલો બધો તફાવત છે સમ્યકત્વમાં અને મિથ્યાત્વમાં. માટે હે જીવ!

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114