Book Title: Amrutvelni Sazzay Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran TrustPage 97
________________ ૮૮ અમૃતવેલની સજઝાય કર્મચી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે ! રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર ખેલ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ રપા ગાથાર્થ :- જેમ સમુદ્રમાં પવનથી વેલ ઉછળે છે, તરંગો-મોજાં થાય છે તેમ પતિ-પત્ની આદિની સઘળી પણ કલ્પના કર્મથી જ ઉપજે છે. પરંતુ સ્થિર દષ્ટિને મેળવીને દેખતાં જ આ આત્માનું જે સહજ સ્વરૂપ છે તે પ્રગટ થાય છે. રપા વિવેચન :- (૪૯) સમુદ્ર અપાર જલથી ભરેલો છે. તેના જલનું કોઈ માપ નથી. છતાં શાન્ત હોય છે, ગંભીર હોય છે. જે આવે તેને પોતાનામાં સમાવવાના સ્વભાવવાળો હોય છે. નદીનો સ્વભાવ એવો હોય છે કે બાર મહિનામાં ફક્ત એક દિવસ જ જો જોરથી વરસાદ આવે તો પૂર આવે, બને કિનારા જલથી ભરાઈ જાય, આજુ-બાજુનાં વૃક્ષો વગેરેને ખેંચી જાય, ઘણાં ઘરો અને માણસો તણાઈ જાય ગામોમાં પણ પાણી ભરાઈ જાય, એક દિવસના પણ વરસાદથી નદી તોફાને ચઢે. જ્યારે સમુદ્રમાં બારે માસ અને રાત-દિવસ કેટલીયે નદીઓનાં પાણી ઠલવાતાં જ જાય છે. વરસાદનું પાણી પણ આવે તે વળી વધારામાં, તો પણ પોતે ક્યારેય સીમા મુકતો નથી, સમુદ્રકિનારાનાં નગરોને ઘણું કરીને ક્યારેયPage Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114