Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 77
________________ ૬૮ અમૃતવેલની સઝાય ગાથાર્થ - શ્રાવકના જીવનમાં જે દેશવિરતિનો ગુણ, સમ્યકત્વનો ગુણ અને સદાચારનો ગુણ છે. તેની અનુમોદના કર તથા અવિરત સમ્યગ્દષ્ટિ એવા દેવો અને એવા મનુષ્યોના સમ્યકત્વ ગુણની પણ તે અનુમોદના કર. ૧લા વિવેચન :- (૪૩) પંચ પરમેષ્ઠીના ગુણોની અનુમોદના કર્યા બાદ હવે પંચમ ગુણસ્થાનકે બીરાજમાન દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાના ગુણોની તું અનુમોદના કર છું. દેશવિરતિધર શ્રાવકનાં બાર વ્રત હોય છે. ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. સાધુ મહાત્મા પુરુષોનાં જે પાંચ મહાવ્રત હોય છે તે જ શ્રાવકનાં પાંચ અણુવ્રત કહેવાય છે. સાધુ મહાત્મા પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોનો સર્વથા ત્યાગ કરનારા હોય છે તે જ આશ્રવોનો અંશથી ત્યાગ કરનારા શ્રાવકશ્રાવિકાઓ હોય છે. હાલતા-ચાલતા ત્રસ જીવોને હણવા નહીં, સ્થાવર જીવોની શક્ય બને તેટલી જયણા પાળવી. જેનાથી આપણે જુઠાબોલા કહેવાઈએ, ફોજદારી ગુન્હો બને, કોઈ આપણા ઉપર વિશ્વાસ ન કરે તેવું જુઠું બોલવું નહીં, જેનાથી આપણે ચોર કહેવાઈએ. જગતના લોકોની દૃષ્ટિમાંથી ઉતરી જઈએ, ઈજ્જત ગુમાવી બેસીએ તેવી કોઈપણ જાતની ચોરી કરવી નહીં, પરસ્ત્રીનું સેવન કરવું નહીં, વ્યભિચાર સેવવો નહીં,

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114