________________
૬૮
અમૃતવેલની સઝાય ગાથાર્થ - શ્રાવકના જીવનમાં જે દેશવિરતિનો ગુણ, સમ્યકત્વનો ગુણ અને સદાચારનો ગુણ છે. તેની અનુમોદના કર તથા અવિરત સમ્યગ્દષ્ટિ એવા દેવો અને એવા મનુષ્યોના સમ્યકત્વ ગુણની પણ તે અનુમોદના કર. ૧લા
વિવેચન :- (૪૩) પંચ પરમેષ્ઠીના ગુણોની અનુમોદના કર્યા બાદ હવે પંચમ ગુણસ્થાનકે બીરાજમાન દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાના ગુણોની તું અનુમોદના કર છું. દેશવિરતિધર શ્રાવકનાં બાર વ્રત હોય છે. ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. સાધુ મહાત્મા પુરુષોનાં જે પાંચ મહાવ્રત હોય છે તે જ શ્રાવકનાં પાંચ અણુવ્રત કહેવાય છે. સાધુ મહાત્મા પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોનો સર્વથા ત્યાગ કરનારા હોય છે તે જ આશ્રવોનો અંશથી ત્યાગ કરનારા શ્રાવકશ્રાવિકાઓ હોય છે.
હાલતા-ચાલતા ત્રસ જીવોને હણવા નહીં, સ્થાવર જીવોની શક્ય બને તેટલી જયણા પાળવી. જેનાથી આપણે જુઠાબોલા કહેવાઈએ, ફોજદારી ગુન્હો બને, કોઈ આપણા ઉપર વિશ્વાસ ન કરે તેવું જુઠું બોલવું નહીં, જેનાથી આપણે ચોર કહેવાઈએ. જગતના લોકોની દૃષ્ટિમાંથી ઉતરી જઈએ, ઈજ્જત ગુમાવી બેસીએ તેવી કોઈપણ જાતની ચોરી કરવી નહીં, પરસ્ત્રીનું સેવન કરવું નહીં, વ્યભિચાર સેવવો નહીં,