Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 82
________________ અમૃતવેલની સક્ઝાય પ્રીતિવાળા બને, જૈનધર્મ પ્રત્યે અહોભાવવાળા બને, જૈનધર્મની અનુમોદના કરીને જીવનમાં જૈનધર્મ અપનાવે. આ રીતે તેઓ કલ્યાણના માર્ગે વળે તેવી રીતે તે જીવોના ગુણોની પણ હે જીવ! તું અનુમોદના કર. ૨૦ પાપ નહિ તીવભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે ! ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે II ચેતન ! જ્ઞાન અજવાળીએ રિવા ગાથાર્થ - મિથ્યાષ્ટિ જીવોમાં (૧) તીવ્રભાવે પાપ ન કરવું, (૨) ભવનો અતિશય રાગ ન કરવો, (૩) ઉચિત મર્યાદાનું સદા સેવન કરવું - આવા આવા જે ગુણો છે તે ગુણોની હે જીવ! તું અનુમોદના કરવા લાગ. ll૧ - વિવેચન :- (૪૫) જેમ સાધુસંતોમાં, શ્રાવકશ્રાવિકામાં અને અવિરત સમ્યગ્દષ્ટિમાં ગુણો હોય છે. તેની જેમ મિથ્યાષ્ટિ જીવોમાં પણ જે જે ગુણો હોય છે. તેની હે જીવ! તું તારા આત્માની સાક્ષીએ અનુમોદના કર. અનુમોદના કર. પ્રશ્ન :- શું મિથ્યાષ્ટિ જીવોમાં ગુણો હોય ? ઉત્તર :- મિથ્યાત્વ અવસ્થા પણ તીવ્ર-મદ્ ભાવે અનેક પ્રકારની હોય છે. જ્યારે જ્યારે આ જીવ મંદમિથ્યાત્વી

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114