Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 24
________________ ૧૫ અમૃતવેલની સઝાય ચતુદશરણ નામનું પ્રથમ કર્તવ્ય : (૧૨) અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર - હવે અરિહંત પરમાત્મા કોને કહેવાય? કેવા હોય? તે સમજાવે છે. ત્રણે જગતના ત્રણે કાળના સર્વદ્રવ્યોના સર્વ પર્યાયોને જાણનારા આ અરિહંત પરમાત્મા છે. તેથી પ્રબળ જ્ઞાનવાળા હોવાથી ત્રણે જગતના ઈશ = ત્રિનાવી છે. આ સંસારમાં એવો કોઈ ભાવ નથી કે જે તેઓના જ્ઞાનમાં ઝળકતો ન હોય તથા સર્વ ભાવો જાણતા હોવા છતાં કોઈ પ્રત્યે નહી આકર્ષાનારા, નહીં રાગ કરનારા, નહીં તેષ કરનારા, સદા વીતરાગ ભાવવાળા, સર્વ પ્રકારના કલેશોથી મુકાયેલા, શમત્વભાવની પરાકાષ્ટા વાળા, મેરુ પર્વતની જેમ ધીર, વીર અને સમુદ્ર સમાન ગંભીર તથા “મારી એવી શક્તિ ક્યારે આવે કે હું સંસારના જીવોને તારૂં” આવી ભાવકરુણા કરવા દ્વારા પૂર્વભવમાં બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી ભવ્યદેશના કરનારા આ તીર્થકર ભગવંતો હોય છે. | તીર્થકર નામકર્મના ઉદયજન્ય ઔદયિકભાવની પરોપકાર કરવાની ભાવકરુણા હૃદયમાં એવી પ્રવર્તે છે કે જાણે આ ભગવાન જગતના મિત્ર હોય તેમ લાગે, કારણ કે મિત્ર તે જ કહેવાય છે કે જે હિતકારી શિક્ષા આપે, અહિતથી બચાવે અને હિતમાં જોડે તેમ આ ભગવાન પણ જગતના

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114