Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 49
________________ ४० અમૃતવેલની સક્ઝાય ઘાત કરનારું તત્ત્વ છે. સરળતા, સજ્જનતા, નમ્રતા, ક્ષમાશીલતા, સંતોષ, વિનયીપણું અને વિવેકીપણું આ સઘળા ગુણો છે. આ માનવજીવનમાં જો ઉપરોક્ત પાપો પ્રસરે તો શ્રેષ્ઠ ગુણો ટકતા નથી. પાપો એ ગુણોનું વિરોધીતત્ત્વ હોવાથી ગુણોનો નાશ જ કરે છે. માટે હે જીવ! આ દોષો સેવવા જેવા નથી, વર્તમાનકાલમાં જે કોઈ આવા દોષો હોય તેનો તું ત્યાગ કર, ભૂતકાળમાં જે કોઈ દોષ સેવ્યા હોય તેની નિંદા ગહ કરીને તેનું પ્રાયશ્ચિત્ત કર અને ભવિષ્યકાલમાં આવાં પાપો ન કરવાનાં પચ્ચકખાણ કર. આ જ સાચો કલ્યાણ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. આ હિતશિક્ષા અમૃતની વેલડી જેવી છે. જીવનમાં આદરવા જેવી છે. તેથી હે આત્મન્ ! તું કંઈક સાંભળ અને સમજ. જે જે આત્માનું હિત કરનારી હિતશિક્ષા હોય તેનો તુરત સ્વીકાર કર. તેમાં વિલંબ ન કર. /૧૦માં ગુરુતણાં વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે બહુ પરે લોકને ભોળવ્યા, નિંદીયે તેહ જંજાળ રે ! ચેતન ! જ્ઞાન અજુવાળીએ ||૧૧| ગાથાર્થ - ગુરુવર્ગનાં વચનોની અવગણના કરીને પોતાની બુદ્ધિ પ્રમાણે જાળ ગુંથી હોય, સામાન્ય લોકોને યુક્તિપ્રયુક્તિથી ભોળવ્યા હોય તે સઘળાં પાપોની પ્રવૃત્તિ રૂપ જંજાળની હે આત્મન્ ! તું નિંદા-ગહ કર. ૧૧.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114