Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 54
________________ ૪૫ અમૃતવેલની સજઝાય મિથ્યાદોષારોપણ કર્યા હોય, પતિ-પત્ની આદિ પાત્રોએ વિશ્વાસપૂર્વક કરેલી વાર્તા બહાર પ્રકાશિત કરી હોય. મિત્રોની સાથેની પણ વિશ્વાસપૂર્વક થયેલી વાર્તા જગતમાં પ્રસારિત કરી હોય, કોઈ લોકોને ખોટી સલાહ આપી ખોટો માર્ગ સમજાવીને લોકોને અવળે માર્ગે ચડાવ્યા હોય, કાગળોના લખાણો ખોટાં કરીને લોકોને છેતર્યા હોય, કોઈએ મુકેલી થાપણ પચાવી પાડી. આવા પ્રકારનાં જે જે જુઠાણાં કર્યા હોય તેને યાદ કરીને તે જીવ ! તું ક્ષમા માગ, કરેલા પાપોની વારંવાર નિંદા-ગોં કર. (૨૧) અદત્તાદાન - બીજાએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરી હોય, સસ્તા ભાવના કારણે ચોરાયેલી વસ્તુ લીધી હોય, રાજકીય નિયમોનું પાલન ન કરીને ચોરી કરી હોય, દાણચોરી કે આવકવેરાની (ઈન્કમટેક્ષની) ચોરી કરી હોય, કોઈની પણ પડી ગયેલી વસ્તુ લેવાની ઈચ્છા કરી હોય, સારી-નરસી વસ્તુની મિશ્રતા કરીને લેવડ-દેવડ કરી હોય, બીજાને છેતરવાની બુદ્ધિ રાખીને વ્યવહાર કર્યો હોય. આમ હૃદયમાં જુદુ અને હોઠમાં જુદુ વર્તન કર્યું હોય. ઈત્યાદિ રીતે પારકાના ધનનું અપહરણ કર્યું હોય અને તેના દ્વારા થયેલા ધનલાભથી હરખાયા હોઈએ તે દુષ્કૃત્યોને વારંવાર યાદ કરી કરીને હે જીવ ! તું માફી માગ, કરેલાં પાપોની નિંદા કર, ફરીથી આવાં પાપો ન કરવાનો પરિણામ રાખ.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114