Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 39
________________ ૩૦ અમૃતવેલની સઝાય ધર્મ કહેવાય છે. અજ્ઞાની અને મોહાલ્વ જીવો જ્ઞાની બને વૈરાગી બને, તત્ત્વજ્ઞાન પામે, આત્મતત્ત્વને સમજે તેવી ભાવ કરુણા કરવી તે પણ નિશ્ચયથી ધર્મ કહેવાય છે. અહિંસા” શબ્દનો આ જ અર્થ છે. હિંસા ન કરવી એટલે કોઈનું મન ન દુભાવવું, કોઈને પણ પીડા થાય તેવું વર્તન અને વચનોચ્ચાર ન કરવા. પરંતુ તે જીવો દુઃખમાંથી કેમ મુકાય? દુઃખમુક્ત કેમ બને ? સાચો પ્રભુનો માર્ગ કેમ પામે ? આવા વિચારો કરવા ઉપાયો અપનાવવા તે સઘળો ધર્મ છે. સદાચારની પ્રવૃત્તિ, દુરાચારનો ત્યાગ ગુણમય જીવન જીવવું, દુર્ગુણતાનો ત્યાગ કરવો આ સર્વ પ્રકારે ધર્મ છે. આવા પ્રકારના વીતરાગપ્રણીત ધર્મને જિનેશ્વર પરમાત્મા “શિવહેતુ” = મુક્તિપ્રાપ્તિનું પ્રધાનતમ કારણ કહે છે. અધર્મમય આચરણ સંસારવૃદ્ધિનું કારણ છે. જ્યારે ધર્મમય આચરણ મુક્તિપ્રાપ્તિનું કારણ છે. ધર્મમય આચરણ વિના આ જીવ ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં આરૂઢ થતો નથી. તેના વિના મુક્તિપ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના દુઃખનો ક્ષય થતો નથી. આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ધર્મથી થાય છે. તે માટે વર દયાભાવ રૂપ અહિંસા ધર્મ આ જીવનમાં અવશ્ય અપનાવવો જોઈએ. જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી, કોઈ પણ વસ્તુઓ પુંજી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114