________________
જંગલમાં બે દિવસથી રખડ્યા કરે. કોઈ માણસ ન મળે. તેની ધીરજ ખૂટáા લાગી. ત્યાં વળી સામેથી બીજો માણસ આવતો દેખાયો. આનંદ આનંદ થયો. ચાલો સાથ મળ્યો. પેલા ભાઈને મળીને હરખાતા મને પૂછ્યું, સારું થયું તમે મળી ગયા હું બે દિવસથી રખડું છું મને માર્ગ મળ્યો નથી, પેલો માણસ કહે અરે હું તો છ દિવસથી ભટકું છું. મને માર્ગ મળતો નથી. જેને પોતાને માર્ગ મળતો નથી તે બીજાને કેવી રીતે બતાવે ? અવિનાશી પરમતત્ત્વ સ્વરૂપ પૌદ્ગલિક પદાર્થોમાં ભૂલેલો માનવમાર્ગ કેવી રીતે બનતા. વાતો કરે તોપણ નિષ્ઠાણ અનુભૂતિવાન વ્યક્તિ જ પ્રાણવંત હોય. સાધનાના માર્ગમાં અનુભૂતિનો પ્રાણ જોઈએ.
[૧૨૯] પરમાત્મા માર્ગદર્શક અને માર્ગરૂપ પણ છે. જેમ ભૂતકાળમાં માર્ગ બતાવીને ઉપકાર કરી ગયા તેમ વર્તમાનકાળમાં દર્શનપૂજાદિ વડે તજ્જન્ય શુભભાવાદિ વડે માર્ગરૂપ બનીને તેઓ ઉપકાર કરી રહ્યા છે. પ્રભુદર્શનાદિથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રભુ નિમિત્તકર્તા છે અને શુભભાવ પામનારો જીવ ઉપાદાનકર્તા છે. નામાદિ ચારે નિક્ષેપા વડે આલંબનથી મોહનીય આદિ કર્મોનો ક્ષય – ક્ષયોપશમ થાય છે. આત્માને નિશ્ચયથી તે જ જાણી શકે છે જે અરિહંતને તેઓના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવળજ્ઞાનગુણથી અને શુદ્ધસ્વભાવરૂપ પરિણમનરૂપી પર્યાયથી જાણે છે.
સંસાર અસાર છે, તેમાં દુઃખને અસાર સર્વ કોઈ માને, પણ જ્ઞાનીજનો સંસારના સુખને અસાર માને છે. કારણ કે જીવો એવા સુખ માટે પાપ કરે છે. તેથી પાપ અસાર છે, તેમ પુણ્ય અસાર છે, પરંતુ જો તે પુણ્ય સુકૃતનું કારણ બને તો સાર છે. એમ માનવાથી સર્વથા પાપરહિત અને ધર્મસહિત એવા અરિહંતનું સ્વરૂપ સાધક સમજી શકે છે અને સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરી શકે છે. જિન પ્રતિમા જિન સારીખી મનાઈ છે. જિન પ્રતિમા સંસારમાં જીવને ઉત્પન્ન થયેલા કષાયોના દાવાનળથી અને મોહરૂપી પ્રચંડ વાવાઝોડાથી બચાવવા મેઘવૃષ્ટિ અને
૩૪ ૪ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org