________________
જન્મ આપ્યો. માતાપિતા મૂંઝાયાં અને બાળકનું કારણ પૂછ્યું. કન્યાએ પોતાના પ્રેમીના બચાવ માટે ગામ બહાર ઝૂંપડીમાં રહેતા સંતનું નામ કહ્યું કે તેણે મારા શીલનો ભંગ કર્યો છે. માનવનો આત્મા સૂતેલો હોય છે એટલે આવેશ જીવતો રહે છે. [૫૧૭]
વડીલો સાધુની પાસે પહોંચ્યાં. ઘણા અપશબ્દ કહ્યા અને બાળક બતાવી આરોપ મૂક્યો. સંતે કહ્યું, એમ આવું બન્યું છે ? ભલે અને બાળકને સ્વીકારી લીધું.
કન્યાને આ વાતની ખબર પડી. તેનો આત્મા જાગી ઊઠ્યો. તેણે સત્ય હકીકત રજૂ કરી. માતાપિતા પુનઃ દોડ્યાં; અને સંતની માફી માંગી. સાચી હકીકત જણાવી.
સંતપુનઃ એમ આવું બન્યું છે ? બંને વખતે સહજતા. ન કોઈ તનાવ, ન કોઈ બચાવ, ન કોઈ લગાવ. માત્ર પરિસ્થિતિના જ્ઞાતા. આ છે સાધુતા.
આંખ ખુલ્લી છે કે બંધ છે તે અગત્યનું નથી. બંને અવસ્થામાં દૃશ્યનો લગાવ ચાલુ છે. બંધ આંખે ઘણી વાર વધુ દૃશ્યો દૃશ્યમાન થાય છે. લાગે એવું કે આંખ બંધ કરી કે દૃશ્યો બંધ થાય છે. ખુલ્લી આંખે જોવાનું સીમિત છે. વાસ્તવમાં આંખ બંધ કરવાનો હેતુ દૃશ્યથી મુક્ત થઈ અંતઃચેતનાને જોવાની છે. જેનો આંખ સાથે સંબંધ નથી. બંધ આંખે ચેતના ઘણે ઊંચે અથવા ઊંડાણમાં જઈ શકે છે. અર્થાત્ આંખનું બંધ થવું એટલે વિચારો, વિકારો, દશ્યજગતનું વિલીન થતું. ત્યાર પછી ચેતનાની સહજતા પ્રગટ થાય છે તે સાર છે. તે આનંદપૂર્ણ છે. અર્થાત્ આંખ બદલી, દૃષ્ટિ બદલી બધું જ બદલાઈ જાય છે. પછી ખુલ્લી આંકે જોવાનું પણ સહજ હોય છે. જ્યાં જ્ઞાતાપણું નીખરે છે. કર્તાભોક્તા ભાવથી જગતને બનાવ્યા કરે છે, તે પોતે પણ બન્યા જ કરે છે. (જન્મ-મરણ રૂપે) [૫૧૮]
પૂર્ણસ્વરૂપ આત્મા અખંડ દ્રવ્ય છે, પરંતુ અજ્ઞાનવશ પ્રકૃતિવિકૃતિથી ખંડરૂપ બને છે. જેમ કાચનો અખંડ શીશો તૂટી જતાં ઉ૫૨નો
અમૃતધારા * ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org