Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 269
________________ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થવું, અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. [૩૯]. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, અને તે મેળવવામાં સુખ માને છે. પરંતુ જ્ઞાનીઓની દશા તો ગહન છે. તેથી તો જ્ઞાનીઓએ બાહ્ય સુખથી વિપરીત માર્ગ નિત કર્યો કે કિંચિત માત્ર પણ પ્રહવું તેમાં આત્મસુખનો નાશ છે. [૯૪૦] આ સંસારમાં રહેવું અને આત્મિક સુખ માણવું તે દુરારાધ્ય છે. કારણ કે સાવધ વ્યાપારવાળા આ પ્રવૃત્તિઓ જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું અસંભવિત જેવું છે. કોઈ સાધકવિરલા જીવ જ યથાશાંત અને સ્વરૂપમાં દઢતાથી ટકી શકે તે પણ ઘણી દુર્ઘટતાથી બને તેવું છે. તેમાં સામાન્ય મુમુક્ષુવૃત્તિનો જીવ ટકી શકે, આત્મનિષ્ઠા રાખી શકે તે ઘણું કઠણ છે, છતાં જો તે દેવગુરુના કલ્યાણરૂપ અવલંબનને ગ્રહણ કરે તો સન્માર્ગ માર્ગ પ્રાપ્ત કરે. અગર તો આ સંસારરણ ભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીખ ઉદયનો યોગ ન અનુભવે એવી સ્થિતિનો કોઈ વિરલા જીવ અભ્યાસ કરે છે. [૯૪૧] જેમ પર્વતથી પડતા માણસને મજબૂત રીતે પકડી રાખવો જરૂરી છે, તેમ જ્યાં સુધી શિવની પરમાત્મ સ્વરૂપમાં) પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સુજ્ઞજન માટે વ્યવહાર જરૂરી છે, તથા પ્રમાણભૂત છે. પરંતુ જીવને સાધ્ય તો પરમ અર્થ જ છે. જીવ પરથી અત્યંત ભિન છે. અને વ્યવહાર પરનો પડછાયો છે. અર્થાત્ પરાશ્રયી છે. પરમ અર્થ એ સ્વાશ્રયી, આત્માનુભૂત છે. ૯િ૪૨] જ્ઞાનના સ્વરૂપને સમજે નહિ અને કેવળ કર્મક્રિયાથી મોક્ષ છે એમ માને તો તે જીવ મિથ્યા વિષયમાં ફસાયેલો છે. જ્ઞાનપક્ષ ગ્રહણ કરીને કહે કે આત્મા સદા અબંધ છે અને સ્વચ્છેદે વર્તે તે ભવસાગરમાં ભમે છે, ભૂમિકા પ્રમાણે શાસ્ત્રવિહિત યથાયોગ્ય કર્મક્રિયા કરે, મોહ મમત્વથી રંગાય નહિ અને જ્ઞાન ધ્યાનમાં સાવધાન રહે તે ભવસાગરથી ૨૫૬ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282