________________
સર્પમાં તમને મોતનાં દર્શન થાય છે. ધર્માત્માને કષાયમાં દુર્ગતિનાં દર્શન થાય છે.
[૯] પદાર્થમાં રમણતાવાળો આત્મા ગુમાવી દે છે. જ્યારે પ્રેમની નિર્દોષતાની રમણતાવાળો પોતાને પરમાત્મા બનાવી શકે છે. [૯૯૮]
દેવ, તિર્યંચ અને નારક ત્રણેય ગતિના જીવો પાસે શક્તિરૂપ અનંત જ્ઞાનાદિગુણોનું સ્વામિત્વ છે. પણ એને અનુભૂતિના સ્તરે પહોંચાડવાનું કામ કેવળ મનુષ્યગતિમાં કોઈ વિરલ જીવને પ્રાપ્ત થાય
૯િ૯૯) આપણા પ્રેમની આ જગતમાં એક પણ જીવને જરૂર ન હોય તો પણ આપણે આપણા અંતઃકરણને નિરંતર પ્રેમથી સભર જ રાખવાનું છે. એમાં જો નાની પણ તિરાડ પડી તો આ જીવનનું લક્ષ્યસ્થાન ચૂકી જવાશે.
| [૧OOO] શરીરની અસ્વસ્થતા આપણી સમાધિની કસોટી છે તો શરીરની સ્વસ્થતા એ આપણી સાધનાની ઉત્તમ તક છે. [૧૦૦૧]
આકાશ સર્વ પદાર્થો માટે આધાર – અવગાહન છે. તેમ સમતા. જ્ઞાનાદિ ગુણોનો આધાર-સ્થાન છે.
[૧૦૦૨] ભૂતકાળનો આત્મા બહિરાત્મા છે, પણ વર્તમાનને સુધારી લઈએ તો ભવિષ્યનો આત્મા પરમાત્મા છે.
[૧૦૦૩] બુદ્ધિને એક જ ચિંતા છે કે મને દુઃખ ન પડવું જોઈએ. હૃદયને એક જ ચિંતા છે કે મારા નિમિત્તે કોઈને દુખ ન પડવું જોઈએ.
[૧૦૦૪] દેહ અને આત્મા જુદા જણાય ત્યારે સમતા પ્રગટે છે. જેમાં જ્ઞાન પરિપક્વ થાય છે.
[૧૦૦૫] ધર્મનું સ્થાન હૃદય છે, બાદબાકી કરીને નમતું આપવું તે
અમૃતધારા ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org