Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 281
________________ હૃદયનો સ્વભાવ છે. સંશયાત્મક બુદ્ધિને આગળ કરશું ત્યાં સુધી હૃદયના તાર ઝણઝણતા નથી. [૧૦૦૬]. બાળક જન્મે ત્યારે પ્રથમ કપડું પહેરે તેને ખીસું ન હોય. મરણ વખતે છેલ્લા કફનને પણ ખીસું ન હોય, તો પછી જન્મ મરણના વચગાળાના સમયમાં ખિસ્સા માટે આટલી ઉપાધિ શું? માયા, પ્રપંચ શા ! [૧૦૦૭) અંતઃ મંગલ આશિષ નિશ્ચયમાં દઢતા અનુભવ વિના આવતી નથી અને એ વગર આવેલી દઢતામાં સપ્રાણતા નથી હોતી. એ નિશ્ચય અઘરો નથી. આપણો તો અઘરું કામ કરવા માટે અહીં જન્મ થયો છે. અઘરું કામ કરીને ઉર્ધ્વસ્થ બની રહીએ તેમાં જ જીવનની સાર્થકતા છે. આ જન્મમાત્ર સાધના માટે જ છે. બીજા કશા માટે નહિ જ. આ મનોમંથન સાધનાની યાત્રા સરસ રીતે કરાવશે એ સાધનાનું પરિણામ. શબ્દદિ પાંચ વિષયો થકી સાવ નોખું. ચૈતન્ય તત્ત્વ ઝળખે હૃદયસ્થ ચોખ્ખું; ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ય, તે તત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા.” શ્રી હૃદય પ્રદીપષટત્રિશિકા. પૂ. શ્રીઆચાર્ય યશોવિજયસૂરિજી. ૨૬૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282