Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 270
________________ તરી જાય છે. [૯૪૩] વળી જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે પરિણમન થવાથી મોક્ષમાર્ગ સાધ્ય બને છે. જેના અંતરમાં જ્ઞાનદશા જાગૃત થઈ હોય તેને સહજવૈરાગ્ય હોય. જ્ઞાની હોય છતાં વિષયસુખમાં આસક્ત બને એવી વિપરીત અવસ્થા મોક્ષમાર્ગમાં છે નહિ આથી તો પૂર્ણ વીતરાગતા સાથે સર્વશપણું પ્રગટ થાય છે. (બારમું તેરમું ગુણસ્થાનકો [] ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર પુરુષાર્થમાં યોગી જ્ઞાની અને ભોગી અજ્ઞાનીની ખતવણી વિચારજો. જ્ઞાની – વસ્તુના સ્વભાવને યથાર્થ જાણવો તે ધર્મ પુરુષાર્થ. જ્ઞાન - જીવાદિ તત્ત્વોના અવલોકન - ચિંતન તે અર્થ પુરુષાર્થ. જ્ઞાની – આત્માની નિસ્પૃહ નિર્મળતાને પ્રગટ કરવી તે કામ પુરુષાર્થ. જ્ઞાની બંધના અભાવને મોક્ષ પુરુષાર્થ કહે છે. અજ્ઞાની – કુળ પરંપરાના આચરને ધર્મ કહે છે. અજ્ઞાની – સોના ચાંદી ધન વિગેરે અર્થ પુરુષાર્થ કહે છે અજ્ઞાની - શ્રી આદિના ભોગને કામ કહે છે. અજ્ઞાની - સ્વર્ગ જેવા સુખને મોક્ષ કહે છે. [૯૪૫] સમ્યગ્દષ્ટિ ચારે પુરુષાર્થને તત્ત્વદૃષ્ટિએ જાણે છે, જુએ છે અને પોતાના સ્વભાવમાં મૂલવે છે. મિથ્યાષ્ટિ તત્ત્વબોધના અભાવે યથાર્થપણે પુરુષાર્થને જાણતો નથી. તેથી તે બાહ્ય પુરુષાર્થ કરે છે. [૯૪૬] ઉત્તમ પુરુષો દ્રાક્ષ જેવા કોમળ છે. દ્રાક્ષ બહાર અને અંદર બંનેમાં કોમળ છે તેમ જ્ઞાની પુરુષો બાહ્ય અને અંદરમાં વૈરાગી, સમભાવી હોય છે. મધ્યમ પુરુષો નાળિયેર જેવા હોય છે. નાળિયેર બહારથી કઠોર અંદરથી કોમળ તેમ તે બહારમાં સંયમાદિમાં કઠોર અને અંદરમાં હૃદયથી કોમળ મધ્યમ પુરુષો હોય છે. અધમ પુરુષો અમૃતધારા ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282