Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 248
________________ સમ્યગ્રાનમય સ્વભાવવતુ અખંડ અવિનાશી રહેશે. [૮૫૨] “અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર આ પામર પર પ્રભુ ર્યો અહો અહો ઉપકાર.” (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર) જેમ સોનાની કટારથી કલેજું ચિરાઈ જાય, તેમ લોખંડની છરીથી કલેજું કપાઈ જાય. સ્વસ્વરૂપ જ્ઞાનમય જીવનું પાપાનુબંધી પુણ્યથી કે પાપથી ભલું થતું નથી. પરંતુ પાપપુણ્ય સાથે અગ્નિ ઉષ્ણતાવતું તન્મય થઈ જે પુણ્ય પાપ કરે છે તેને મારાં માને છે, તેનાથી સુખદુઃખ અનુભવે છે તે મૂર્ખ મિથ્યાદૃષ્ટિ છે. સૂર્યથી જેમ અંધકાર ભિન્ન છે તેમ જીવ પુણ્યપાપથી ભિન્ન થઈને પૂર્વકર્મવશ પુણ્ય-પાપ કરે છે છતાં જ્ઞાની સમ્યગ્દષ્ટિવાન છે. [૮૫૩] જેમ દૂધના ભરેલા કળશમાં એક નીલમણી રત્ન નાખવાથી તે દૂધનો તથા નીલમણી રત્નનો રંગ એકસરખો નીલમણીરત્નના તેજ જેવો સમાન ભાસ થાય છે. તે જ પ્રમાણે જ્ઞાન અને શેયનો એકસરખો ભાસ થાય છે. પરંતુ જ્ઞાન-અજ્ઞાન કદી કોઈ પ્રકારથી તન્મયરૂપ થતાં નથી. [૮૫૪] જેમ લાલ લાખ પર લાગેલા લાલ રત્નને તે રત્નમાં લાખ અને રત્નની બંનેની લાલાશ એકસરખી તન્મયવત્ દેખાય છે. તોપણ બંનેની લાલાશ ભિન્નભિન્ન છે, તેને ખરો ઝવેરી પારખે છે. તેમ આકાશ અરૂપીનિરાકાર અજીવમય છે. અને સ્વસમ્યગ્રજ્ઞાનમયી અરૂપી-નિરાકાર જીવમય છે, બંને તન્મયવતું મિથ્યાષ્ટિને ભાસે છે. સમ્યગ્દષ્ટિવાને બંનેને ભિન્ન ભિન્ન સમજે છે. માને છે. કહે છે. [૮૫૫] જેમ કોઈ નૌકા રંગ રંગીલી સજાવટવાળી છે તો ઉતારુને પાર કરી દે છે. વળી નૌકા રંગરંગીલી ન હોય તો પણ નદી પાર કરી દે છે. તે જ પ્રમાણે કોઈ ન્યાય, વ્યાકરણ, નય વિગેરે યુક્ત ગુરુ છે તો સંસારસાગરથી પાર ઉતારી દે છે તેમ કોઈ ગુરુ ન્યાય વ્યાકરણ અમૃતધારા ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282