Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 266
________________ પણ છેવટે થાકીને વશ થશે. એમ પુનઃ પુનઃ અભ્યાસ થવાથી વાસના, વિકારો, ઉદ્વેગ, અહંકારાદિ દોષો દૂર થતા જશે. આત્મશાંતિ અનુભવાશે. [૯૨૭ કર્માનુસાર લખાયેલ, નિયતિ મુજબ ઘડાયેલ, સ્વભાવવશ સર્જાયેલ પોતપોતાના કાળે પ્રગટ થનાર સર્વજ્ઞદષ્ટ પર્યાય પ્રવાહ માત્ર એક ક્ષણવાર પણ આગળ પાછળ થતો નથી. તે સ્વ-પર દ્રવ્યના તમામ પર્યાયો ક્રમબદ્ધ ગોઠવાયેલા છે. અહંકારી, ઉતાવળો જીવ પર્યાય ક્રમને ફેરવવાનો પ્રયત્ન કરે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જાણેલી તમામ પર્યાયો નિરંતર આપમેળે ઉત્પન્ન થાય છે. તેમાં દેવદાનવ માનવ જિન પણ ફેરફાર કરી શક્યા નથી માટે કર્તુત્વભાવ, ભોસ્તૃત્વભાવ ત્યજી કેવળ જાણનારને જાણ તારું કાર્ય સિદ્ધ થશે. ૯િ૨૮] જો કતભાવ છૂટે તો જીવનું ઘણું કાર્ય સાર્થક થાય. જે બનવાનું છે તે તે કાળે બને છે, વળી ભેદજ્ઞાન દ્વારા શુદ્ધોપયોગરૂપ આત્મતત્ત્વનો પરિચય થયો પછી પરમાં ફેરફાર કરવાનું દૂર રહો સ્વમાં સ્વપર્યાયમાં પણ ફેરફાર કરવાની અહંબુદ્ધિ છૂટી જાય છે. પછી જે કંઈ થાય છે તે તારા જ્ઞાનદર્પણમાં જણાય છે, તું જાણે છે અર્થાત્ તેનો જ્ઞાતા રહે છે. આ સમ્યફ પુરુષાર્થ છે, એમ જ કરવાનું છે. [૨] વ્યવહાર પાળતા પાળતા કાળક્રમે નિશ્ચય આવે તે સ્થૂલદષ્ટિ છે, નિશ્ચયદષ્ટિને હૃદયમાં કેન્દ્રસ્થાને રાખીને શક્તિ છુપાવ્યા વિના શુદ્ધ વ્યવહાર પાળતા પાળતા નિશ્ચય ફળ આવે આ સૂક્ષ્મ દૃષ્ટિ છે. માટે નિશ્ચયદષ્ટિથી ભાવિત થયા વગર દ્રવ્યદૃષ્ટિ પરિણમાવ્યા સિવાય માત્ર બાહ્ય ભલે સક્રિયા હોય પણ તેના અનુરાગથી શુભભાવથી બધું થઈ જ જશે, શુદ્ધાત્મા અનુભવાશે એમ ભ્રમમાં ન રહેવું. આત્માની મુખ્યતાથી જ આત્મ પ્રગટ થશે. પ્રશસ્ત રાગાદિ પરિણામોમાં પણ તેમાં પોતાનું કર્તાપણું માનવું કે પોતાનું સ્વામિત્વ સ્થાપવું નહિ. [૯૩O] વાસ્તવમાં જીવને પરમાં કંઈ જોવા જાણવાનું છે નહિ. જગતને અમૃતધારા ૨૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282