________________
થાય છે પછી તે સમ્યગ્દષ્ટિ આત્મા શુભાશુભરૂપ અનેક ક્રિયા વિકલ્પનો સંગ્રહ કરતો નથી. કારણ કે તેનાથી કાર્યસિદ્ધિ થતી નથી. અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષય સામગ્રી બંને ક્ષણિક છે, માટે તે જીવનું સ્વરૂપ નથી આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો ત્યાગ છે, તેથી તેમને નિર્જરા છે, બંધ નથી.
સ્વભાવથી શ્વેત શંખ છે તે શંખ (બેઇન્દ્રિય) કાળી પીળી, લાલ માટીનો આહાર કરે છે, છતાં તે શંખ તે તે માટીના રંગરૂપે થતો નથી જેતરૂપે જ રહે છે. તેવી રીતે સમ્યગ્દષ્ટિ આત્મા સ્વભાવથી રાગદ્વેષ મોહરહિત શુદ્ધ પરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથા શુદ્ધ પરિણામરૂપ પરિણમે છે. અશુદ્ધરૂપ પરિણમતો નથી વસ્તુનો એવો સ્વભાવ છે જો તે મિથ્યાત્વરૂપ પરિણમે તો અવશ્ય કર્મબંધ કરે છે. જ્યાં સુધી સમ્યગૃષ્ટિપણું છે ત્યાં સુધી બંધ નથી. નિરભિલાષ થઈને કરે છે તેને તે તે ક્રિયાનું ફળ નથી.
[૯૨૧] શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષમાર્ગથી શૂન્ય છે. રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે કોઈ અનુભવનો ભ્રમ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામના નષ્ટ થયા પછી થાય છે. જીવ ત્યાર પછી મોક્ષમાર્ગને પાત્ર થાય છે. [૨૨].
આત્માને મોક્ષમાર્ગમાં જોડે તે યોગ. એ આત્માનો આંતરિક અને આધ્યાત્મિક વિકાસક્રમ છે, તેને યોગ કહેવાય છે. આ યોગનું સ્વયં સામર્થ્ય એવું છે કે જીવને અનાદિકાળથી લાગેલાં કર્મોનો ક્ષય થાય છે. મનવચન કાયાના યોગ પૌગલિક છે, તે આશ્રવ-બંધનું કારણ છે, આ આધ્યાત્મિક કે નિશ્ચયયોગ કર્મક્ષયનું કારણ છે. પોતાના નિર્મળ સહજ સ્વભાવની પ્રાપ્તિ તરફ લઈ જનાર આ યોગને સાધનારા યોગી કહેવાય છે.
[૯૨૩]
અમૃતધારા - ૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org