Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 256
________________ છે. [૮૮૪] આગમ પદ્ધતિમાં છે કે કાઉસ્સગ્ગમાં જે જ્ઞાન સૂત્ર કે અર્થથી ભણ્યા હોય તેનાં સૂક્ષ્મ રહસ્યો અને પદાર્થોનું કાઉસ્સગ મુદ્રામાં રહીને (ઊભા કે પદ્માસન) ચિંતન, મનન કરવું, જેનાથી બંધાયેલા અનેક પ્રકારના અશુભ કર્મો નાશ પામતાં અને આત્મામાં ગુણોનો પ્રકાશ દર્શન પેદા થતાં. [૮૮૫] આત્મિક ગુણોની સ્થિરતા વધતી જાય તેમ તેમ જ્ઞાનનો ક્ષયોપશમ નિર્મળતા) દર્શનનો ક્ષયોપશમભાવ. અંતરાયકર્મનો ક્ષયોપશમભાવ વધતો જાય. જેથી રાગાદિના ઉદય નિષ્ફળ જાય. આથી પંચમહાવ્રતધારી મુનિઓ કાઉસ્સગમાં કલાકો સુધી જ્ઞાન સ્વાધ્યાય કરતા હોય છે. [૮૮૬] શ્રી તીર્થંકરના આત્માઓ પણ ત્રીજા ભવે રાગાદિને નિષ્ફળ બનાવવા સંયમ સ્વીકારી કાઉસ્સગ ધ્યાને રહી, અનુભૂતિ પેદા કરવા, જ્ઞાનગુણની સ્થિરતા પેદા કરવા, એકવીસ કલાક કાઉસ્સગ મુદ્રાએ જ્ઞાનનો સ્વાધ્યાય કરતા. હજારો લાખો વર્ષ એમ કરવાથી સંસ્કારની એવી દૃઢતા થતી કે તેઓ આત્મા અને દેહનું ભેદજ્ઞાન કરી આત્મામાં જ સ્થિર રહેતા. આથી કોઈ શરીરને ચંદનનો લેપ કરે તો સુખરાગ પેદા ન થતાં અને વાંસલાથી છોલે તો દુઃખ-દ્વેષ પેદા ન થતાં. આવા સમભાવના પ્રતાપે વળી દેવલોકમાં જન્મ લે, ત્યાં રાગના અનેક પદાર્થો છતાં અસંખ્યાત વર્ષો સુધી રાગ પેદા ન થવા દે. અવિરતિ હોવા છતાં જ્ઞાનના ક્ષયોપશમભાવના કારણે સુખભોગના સાધનમાં મારાપણાની બુદ્ધિ થવા ન દે. ભેદજ્ઞાન ટકી રહે. [૮૮૭] આ રીતે કોઈ જીવ નરકમાં જાય તો ત્યાં ભયંકર દુઃખની વેદનામાં પણ ભેદજ્ઞાનની દૃઢતાને કારણે આત્માને સમાધિભાવમાં રાખી અસંખ્યાતા વર્ષો સુધી જ્ઞાનના સ્વાધ્યાયમાં ટકી શકે. વળી જ્યારે અંતિમ જન્મ લે ત્યારે પણ ભેદજ્ઞાનને કારણે સંસાર અવસ્થામાં જ્ઞાનના Jain Education International અમૃતધારા * ૨૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282