Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 255
________________ થશે, છતાં ઉજમને કંઈ હર્ષ નહિ. એટલે પૂછ્યું તારે શું જોઈએ. કન્યાએ એક જ શબ્દમાં જવાબ આપ્યો “દેરું' પિતા પણ કેવા? લાડકીની ઇચ્છા પૂરી કરવા પાલીતાણા નવ ટૂંકમાં “ઉજમફઈની ટૂંકનું સર્જન થયું.” સ્ત્રીને સામાન્યતઃ અલંકારો, વસ્ત્રો ગમે. ઉજમફઈનું કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. તેમણે બીજાં પણ મંદિરોનું નિર્માણ કર્યું. [૮૮૧) વિશિષ્ટતાની પરંપરા જાણવી છે? ભર યુવાન વયે ભાઈ સાથે પાલીતાણા તીર્થે નવાણુ યાત્રા કરવા ગયા. રોજે એક જ યાત્રા કરે. શરીરની તાકાત નહોતી એવું ન હતું. પણ પ્રભુની ભક્તિયાત્રામાં પ્રસાદ નહિ અને ઉતાવળ પણ નહિ. વીસેક યાત્રા થઈ અને માઠા સમાચાર આવ્યા કે ઉજમના પતિનું અવસાન થયું છે. ભાઈએ તરત જ અમદાવાદ જવાની તૈયારી કરી. પણ ઉજમ તો ભક્તિના રંગે રંગાયેલી નારી. ભાઈને કહે, ભક્તિ, ધર્મયાત્રા સંકટમાં છોડાય નહિ, ભક્તિને – ધર્મને સંકટનો સહારો બનાવવાનો. વળી બન્યું છે તે આપણા જવાથી ન બન્યું થવાનું નથી. અને શોક કરવાને બદલે વિશેષ ભક્તિમાં લાગી ગયાં. આ આંતરિકદશાની દઢતા અને નિર્મળતા હતી. [૮૮૨] શેષ જીવન ભક્તિભર્યું. ધન સંપત્તિ પૂરા દિલથી સત્કાર્યોમાં વાપરતાં રહ્યાં. સ્ત્રીસમાજ માટે આ કાળમાં અર્થાત્ એક શતાબ્દી પહેલાં કેવો ઉત્તમ આદર્શ આપતાં ગયાં! સ્ત્રી પ્રકૃતિની સંકુચિતતા, અને ધન વૈભવની માયા છોડી ઉત્તમતાને વિકસાવવાનું પ્રેરકબળ પ્રાપ્ત કરીએ. સંસારની માયાજાળ, મોહપાશની ગૂંચને ઉકેલી આત્મશ્રેય પ્રાપ્ત કરીએ. [૮૮૩ કાઉસ્સગ – કાયોત્સર્ગ = દેહભાવના મમત્વનો ઉત્સર્ગ) ત્યાગ. દેહનો નેહ અનાદિનો છે, તે વિચાર માત્રથી દૂર થાય તેવો નથી, દુરંત છે. ગીતાર્થ જનોએ તેનું રહસ્ય પ્રગટ કર્યું છે કે સંસારના દુઃખથી છૂટવાનો ઉપાય જ્ઞાન છે, તે જ પ્રમાણે કાઉસ્સગ મુદ્રાનું પણ માહાસ્ય ૨૪૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282