SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ થશે, છતાં ઉજમને કંઈ હર્ષ નહિ. એટલે પૂછ્યું તારે શું જોઈએ. કન્યાએ એક જ શબ્દમાં જવાબ આપ્યો “દેરું' પિતા પણ કેવા? લાડકીની ઇચ્છા પૂરી કરવા પાલીતાણા નવ ટૂંકમાં “ઉજમફઈની ટૂંકનું સર્જન થયું.” સ્ત્રીને સામાન્યતઃ અલંકારો, વસ્ત્રો ગમે. ઉજમફઈનું કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. તેમણે બીજાં પણ મંદિરોનું નિર્માણ કર્યું. [૮૮૧) વિશિષ્ટતાની પરંપરા જાણવી છે? ભર યુવાન વયે ભાઈ સાથે પાલીતાણા તીર્થે નવાણુ યાત્રા કરવા ગયા. રોજે એક જ યાત્રા કરે. શરીરની તાકાત નહોતી એવું ન હતું. પણ પ્રભુની ભક્તિયાત્રામાં પ્રસાદ નહિ અને ઉતાવળ પણ નહિ. વીસેક યાત્રા થઈ અને માઠા સમાચાર આવ્યા કે ઉજમના પતિનું અવસાન થયું છે. ભાઈએ તરત જ અમદાવાદ જવાની તૈયારી કરી. પણ ઉજમ તો ભક્તિના રંગે રંગાયેલી નારી. ભાઈને કહે, ભક્તિ, ધર્મયાત્રા સંકટમાં છોડાય નહિ, ભક્તિને – ધર્મને સંકટનો સહારો બનાવવાનો. વળી બન્યું છે તે આપણા જવાથી ન બન્યું થવાનું નથી. અને શોક કરવાને બદલે વિશેષ ભક્તિમાં લાગી ગયાં. આ આંતરિકદશાની દઢતા અને નિર્મળતા હતી. [૮૮૨] શેષ જીવન ભક્તિભર્યું. ધન સંપત્તિ પૂરા દિલથી સત્કાર્યોમાં વાપરતાં રહ્યાં. સ્ત્રીસમાજ માટે આ કાળમાં અર્થાત્ એક શતાબ્દી પહેલાં કેવો ઉત્તમ આદર્શ આપતાં ગયાં! સ્ત્રી પ્રકૃતિની સંકુચિતતા, અને ધન વૈભવની માયા છોડી ઉત્તમતાને વિકસાવવાનું પ્રેરકબળ પ્રાપ્ત કરીએ. સંસારની માયાજાળ, મોહપાશની ગૂંચને ઉકેલી આત્મશ્રેય પ્રાપ્ત કરીએ. [૮૮૩ કાઉસ્સગ – કાયોત્સર્ગ = દેહભાવના મમત્વનો ઉત્સર્ગ) ત્યાગ. દેહનો નેહ અનાદિનો છે, તે વિચાર માત્રથી દૂર થાય તેવો નથી, દુરંત છે. ગીતાર્થ જનોએ તેનું રહસ્ય પ્રગટ કર્યું છે કે સંસારના દુઃખથી છૂટવાનો ઉપાય જ્ઞાન છે, તે જ પ્રમાણે કાઉસ્સગ મુદ્રાનું પણ માહાસ્ય ૨૪૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy