________________
પૌદ્ગલિક પર્યાય પ્રત્યે તેમનું લક્ષ જતું નથી. [૭૪].
જ્ઞાનીને સંયોગો પ્રત્યે ઉપેક્ષા છે, તેથી ઉપયોગ પુનઃ પુનઃ સ્વરૂપ પ્રત્યે ઝૂકે છે કે હું તો જ્ઞાનમાત્ર છું. જ્ઞાનીનો આ સહજ પુરુષાર્થ હોય છે. સ્વરૂપની સાચી ઓળખાણ થતાં તે સ્વાનંદમાં શુભ ભાવપુણ્યનો મહિમા પણ છૂટી જાય છે. અથવા તુચ્છ ભાસે છે. આત્મબળ વૃદ્ધિ પામે છે.
[૭૪૮] વિશ્વમાં જીવો શરીરબળ વડે અનેક પરાક્રમો કરે છે. શરીર પર હાથીને ચલાવે છતાં શરીર ઈજા ન પામે તેવું કેળવે છે. તોપણ આખરે એ શરીરની આંગળી બીમારીમાં મુખ પરની માખ પણ ઉડાડી શકતી નથી છેવટે એ શરીર ચિતાને આધીન બને છે. [૭૪૯).
કેટલાક જીવો ઈન્દ્રિયબળ કેળવી દૂરનું જુએ. જાણે, પરંતુ જરાવસ્થા આવતાં એ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે અને એ બળ ભવાંતરે સાથે જતું નથી એવું ક્ષણિક છે. કેટલાક મનના વિકલ્પોને રોકી શકે છે. મનોબળ દ્વારા શારીરિક ભયંકર પીડા સહન કરે છે. સિંહને બાથમાં લઈ કચડી નાંખે એ મનોબળ પણ પૌદ્ગલિક હોવાથી તે પણ શરીર છૂટતાં મનોબળ પણ ક્ષય પામે છે. [૭૫)].
કેટલાક વચનબળ કેળવીને વાક્ચાતુર્યમાં હજારોને મહાત કરે છે. વીરરસ વડે યુદ્ધમાં પ્રેરિત કરે. વૈરાગ્યવાણી વડે રાગીને વૈરાગી બનાવે, વૈરાગીને રાગી બનાવે. આ વચનબળ પણ સંસારની વૃદ્ધિનું કારણ છે.
[૭૫૧] પ્રાય મનુષ્યજીવન પામેલા મોટા ભાગના જીવો આવા પૌદ્ગલિક શારીરિક બળ વડે અન્ય જીવોને ચકિત કરે છે તેમાં આત્મહિત કંઈ થતું નથી કારણ કે મોટા ભાગના જીવો આ શારીરિક બળને જ આત્મબળ માની બેઠા છે. સ્વયં પૂર્ણ શક્તિ યુક્ત ચૈતન્ય છું તેનું તેમને ભાન નથી.
[૭૫૨]
૨૦૮
અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org