Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 244
________________ છે. પૃથ્વી પાણી આદિના ઉપયોગની અનિવાર્યતા છતાં તેમાં હિંસાનો દોષ લાગે છે. તે પ્રમાણે જાણેઅજાણે રાગદ્વેષ પ્રગટ કરવા તે ભાવહિંસા છે, સવિશેષ રાગદ્વેષને મનમાં સંગ્રહિત કરવા તે પણ સૂક્ષ્મ ભાવહિંસા છે. [૮૩૯] કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હશે તો મનમાં તેના પ્રત્યે તેવો ભાવ રહેશે. પ્રસંગે અપમાન કરવાનો વિચાર આવશે. તે પ્રમાણે કોઈ વ્યક્તિ તરફ રાગ હશે અને અન્ય વ્યક્તિને તેના પ્રત્યે દુભવ હશે તો તમને રાગના કારણે દ્વેષ થશે. આમ અજ્ઞાનદશામાં જીવ નિરંતર હિંસા જ કરતો હોય છે માટે આત્મચિંતન દ્વારા આવા દુભવને નષ્ટ કરી સમભાવમાં રહેવા પ્રયત્ન કરવો આપણને મળેલાં આ દેહાદિ સાધન છે. તેનો જો ધર્મમાર્ગે પરોપકારાર્થે ઉપયોગ ન કર્યો અને અન્યને પીડાજનક કાર્યો કર્યો તો તે માનસિક હિંસા છે. [૪] કોઈ કહે કે અમે આમ તો હિંસા નથી કરતા. ખાસ સંયોગમાં કરેલી હિંસા હિંસા જ છે. આપણા જીવનના નિર્વાહ કાર્યો માટે હિંસા થાય છે. તોપણ તેમાં સાવધાની રાખવી જોઈએ. યદ્યપિ અહિંસાપાલન સાથે સ્વચ્છતાનો ખ્યાલ રાખવો જરૂરી છે. સંપૂર્ણ અહિંસાનું પાલન શક્ય નથી. માટે સાધુ ન થવાય તો સાદું જીવન જીવવું. દરેકની સાથે આત્મભાવે વર્તવું. તે સિવાય સીધી કે આડકતરી આ કાળના દરેક ભયંકર સંહારમાં – હિંસામાં આપણી ભાગીદારી પાપજનક છે. કોઈ પ્રાણીને તમે સુખ આપી શકતા ન હોવ તો દુઃખ તો ન જ આપશો. કોઈને જીવન આપી શકતા નથી તો મરણ ન આપશો. આવા તથ્યો આપણા જ સુખ માટે છે. [૮૪૧]. આપણા યોગીઓ કેવો મૈત્રીભાવ કેળવતા કે તેમના શરીર પર સાપ ચઢે કરડે નહિ, સિંહ મળે તેમને ફાડે નહિ, આ જ આપણો ધર્મ છે. કોઈને ભયભીત ન કરો તમે પણ નિર્ભય થશો. સર્વ પ્રાણીને સુખ પ્રિય છે. દુઃખ પ્રિય નથી. તેમને ભયથી ખેદ થાય છે. માટે અમૃતધારા ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282