________________
અજંપો શો ? અને ઉત્સવો શા ?
[૫૪] પરમાર્થને બદલે જેને પૌદ્ગલિક આકાંક્ષા છે તેને મુક્તિની આશા રાખવી નહિ. મોક્ષાર્થીની ઝંખના કેવી હોય ? ચારેકોર અગ્નિની ઝાળ દેખાય. પુષ્યયોગે મળતી સાધનસામગ્રી બંધનરૂપ લાગે. ક્યારે છૂટું એવો અંતરધ્વનિ સંભળાય. મહેલ તો જેલ જેવા લાગે. ક્યારે આત્મા પામું, આત્મશાંતિ ક્યારે મળવું? તે તેના અંતરમાં તેવા ભાવ ઊઠે. તેમાં પણ સદ્દગુરુનો યોગ મળે પછી સંસાર તો ઝાળ જેવો થઈ જાય. નિરંતર ચિંતન ચાલે હું કોણ ? મારે શું કરવાનું? હું બંધનમાં છું કે મુક્ત છું? આવા જીવો નિકટભવી હોય છે. [૧૯૫].
જે જીવો ભૌતિકતાની પ્રતિષ્ઠામાં અટક્યા તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં ઇતિ શ્રી જોઈ, પરંતુ જ્યાં અપૂર્ણતા છે નિત્ય શોધખોળ અને પ્રયોગ ચાલે છે ત્યાં પૂર્ણતા – પરમાત્મતત્ત્વ મળવું શક્ય નથી. કારણ કે ભૌતિક વિજ્ઞાન બહારમાં જ ફરે છે. જ્યારે પરમાત્મતત્ત્વ આંતરિક શુદ્ધ અવસ્થા છે, સ્વાધીન છે. સૂર્ય અને પ્રકાશ, અગ્નિ અને ઉષ્ણતાની જેમ આત્માની શુદ્ધ અવસ્થા અભિન્ન છે, જ્યાં કેવળ પૂર્ણતા – સર્વોચ્ચ સુખ રહેલું છે.
[૫૯૬] મનની સપાટી પર ઊઠતા વિચારો વિકલ્પ છે. જે સ્વસ્કુરણામાંથી આવે છે તે આત્મભાવને આત્મવિચાર કહીએ તો તે એક અદ્ભુત શક્તિ છે. જેનું જ્ઞાન સમ્યક તેનો વિચાર સમ્યક કહેવાય.
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિવણ.”
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સમ્યક્ વિચારણાનો સ્ત્રોત પ્રજ્ઞારૂપ પરિણમે છે તે નિજજ્ઞાન રૂપે પ્રગટ થઈ કમનો ક્ષય કરે છે, અંતે જીવ સંસારના બંધનથી મુક્ત થાય છે.
પિ૯૭] આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે સંવર. આત્મસ્વરૂપથી શ્રુત થવું
અમૃતધારા ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org