________________
પ્રાપ્ત થતાં હર્ષ શોકનો ભેદ ટળી જાય છે.
[૬ ૫૫] તત્ત્વદષ્ટિમાં સૂક્ષ્મતા છે. એ સૂક્ષ્મબુદ્ધિ કે વિચાર વાસ્તવિકતાને ગ્રહણ કરશે. લાકડી વાંકી નથી પણ પાણીના સંયોગથી તેવી દેખાય છે. તેમ સૂક્ષ્મબુદ્ધિ બાહ્ય નામરૂપ, રંગાદિથી પર છે, તે જાણનારને જાણે છે. તેથી હર્ષશોકના ભેદ ટળી જાય. તે મોહમાં મૂંઝાતો નથી. સૂક્ષ્મદ્રષ્ટિ સ્થૂલ એવા નામ, સ્પર્શ, રૂપાદિને જાણે છે, પણ તેમાં લુબ્ધ થતી નથી. સ્થૂલ પદાર્થોના આકર્ષણમાં મૂંઝાતી નથી, તેથી તે આત્મદર્શન કરી શકે છે.
[૬૫૬] સંસારમાં વિબો આવે સંસારી મૂંઝાય અને ઉપાય શોધે સંસારના પ્રયોજનથી, એટલે વિનો મૂળમાંથી નષ્ટ ન થાય. એ વિઘ્નોનો ઉકેલ તત્ત્વદૃષ્ટિથી થાય તો સંસારના પરિભ્રમણનું મૂળ છેદાય. સાધના કરનાર સાધકને અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારે વિબો આવે. કોઈ યોગીને પણ સાધનાકાળમાં બહારમાં સેવા, સ્ત્રી સંપર્ક. ભક્તોની ભીડ ચલિત કરે. અંતરમાં કામવાસના, પુરાણા સંસ્કાર, કોઈ સુખદ કલ્પનાઓ વિઘ્નરૂપ બને. માટે ગુરુનિશ્રાની અનિવાર્યતા બતાવી. ક્રમે કરીને યોગ્યતા થાય ત્યારે એકાંતે સાધના કરે તો સફળ થાય. [૬ ૫૭].
વળી એકાંતે પાત્રતા વગર જો ચાલી નીકળે તો આળસ જેવા સંસ્કારો પણ વિખકારી થાય. કોઈ સાથી નથી, વધુ નિદ્રા લીધી, સ્વૈચ્છિક આહાર કર્યો તેવી વૃત્તિઓ પણ વિબકારી છે. આમ અનેક પ્રકારની વિષયાકાર વૃત્તિઓ સાધકને ઉત્તેજિત કરી અંતરંગ વિઘ્ન ઉપજાવે છે. અને સાધકની પ્રગતિને રૂંધે છે. પરંતુ તત્ત્વદષ્ટિની દઢતા વડે નિર્વિકાર થાય છે ત્યારે સાધક સ્વાભાવિક આનંદ અને શાંતિ પામે છે. તત્ત્વદૃષ્ટિ તેને સજાગ રાખે છે કે તું સ્વયં સુખ સ્વરૂપ, આનંદસ્વરૂપ છું' તારે બાહ્ય સ્પશદિની કામવાસનાના ભ્રમિત સુખની જરૂર નથી.
[૬ ૫૮]. સાધનાકાળમાં તત્ત્વદૃષ્ટિ પુષ્ટ નહિ હોય તો સાધનાની સિદ્ધિના
૧૮૪ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org