________________
છતાં ત્યારે પણ જ્ઞાની સ્વરૂપના સ્વલોકમાં તન્મય છે, તેથી તેમના જ્ઞાનમાં વિશુદ્ધિ છે. આમ સ્વરૂપ અસ્તિત્વનું પરણતિદ્વારા સ્વનું વેદન કરતા પર જણાય તે જ્ઞાન પૂર્ણ છે, અર્થાત્ પૂર્ણતા પામશે. આમ તું વર્તમાનમાં ભલે અપૂર્ણ હો પણ સ્વરૂપે પૂર્ણ છે. [૭૨૯]
જીવ માત્રમાં મતિશ્રુત જ્ઞાનનો ક્ષયોપશમ હોય તે મિથ્યાત્વના સભાવમાં પરભાવના વેદનમાં નિમિત્ત થાય છે. સમ્યક્ત્વના સદૂભાવમાં પરભાવજનિત કષાયનો રસ ઘટવાથી સાધકની અકષાયી સ્વરૂપ સ્થિરતામાં વૃદ્ધિ થાય છે, તે સ્વસંવેદનનું કારણ બને છે. આ સ્વસંવેદન આત્માના અનંત સુખનું મૂળ છે. એવા જ્ઞાનીજનોને પોતાના જ યોગ ભયંકર ઉપસર્ગ કે પરીષહોમાં શક્તિરૂપે વ્યક્ત થઈ દેહભાવથી મુક્ત કરે છે. એ જ કાયોત્સર્ગ છે. હઠયોગીઓ એ કાર્ય પ્રાણાયામને સ્વાધીન રાખી કરે છે. તે સ્વસંવેદનાત્મક નથી.
[૭૩૦] આધ્યાત્મિક જીવનના અનુભવ માટે પ્રથમ તો તુચ્છ સ્વભાવવાળી લાગણીઓ, ઈચ્છાઓની ઉપેક્ષા કરો, તેને મનથી પણ સ્વીકારો નહિ. આત્મિક જીવન જીવવા માટે માયિક પ્રકારોનો ત્યાગ કરો. અને તે પ્રમાણે જીવવાનો દઢ નિર્ણય કરો.
[૭૩૧] જે માનવ શેયને જાણી, તે આકારોમાં જીવે છે તે દરેક ક્ષણે ભાવમરણ પામી રહ્યો છે તેમ માનો. આત્મામાં, જ્ઞાનમાં જીવે છે તે જ અમર થાય છે. જેટલા માયિક તત્ત્વો જીવ છોડે છે તેટલો દિવ્યતા પૂર્ણતાનો અનુભવ કરે છે.
[૭૩૨] આ પ્રકૃતિજન્ય જડ પદાર્થોની એકતાવાળું જીવન અને આત્મિક જીવન વચ્ચે પડેલો માયા/મોહનો ભયાનક સમુદ્ર ઓળંગવો પડશે. જીવને આત્માના આશ્રયે રહીને સર્વ માયાવી પ્રકારોનો ત્યાગ કરવો પડે છે. પ્રારંભમાં તેને બધું શૂન્ય અને નિરાધાર જેવું લાગે છે ત્યારે મૂંઝાય છે. તેમ સદ્ગુરુનો યોગ તેને સહાયક બને છે. આ પ્રશમ રસથી ભરપૂર જીવન પ્રગટ થાય છે ત્યારે પોતાનો જ શાશ્વત પરમાત્મા
૨૦૪ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org